આપણું ગુજરાત

જૂનાગઢ અને માઢડાના સોનલ ધામમાં અદ્ભુત દિવ્યતા અનુભવાઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: માઢડા ધામ ચારણ સમુદાય માટે આદર,શક્તિ,સંસ્કારો અને પરંપરાઓનું કેન્દ્ર છે. હું શ્રી આઈના ચરણોમાં પ્રણામ કરું છું અને નમસ્કાર કરું છું.સોનલ માતાના ત્રણ-દિવસીય જન્મ શતાબ્દી ઉત્સવની યાદો હજુ પણ તાજી છે તે વાતને રેખાંકિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભગવતી સ્વરૂપા સોનલ મા એ હકીકતનું જીવંત ઉદાહરણ છે કે ભારત ક્યારેય કોઈ પણ યુગમાં મહાન આત્માઓથી વંચિત રહ્યું નથી.

તેમણે આઈ શ્રી સોનલ માની જન્મશતાબ્દી પવિત્ર પોષ માસમાં થઈ રહી છે અને આ પવિત્ર પ્રસંગ સાથે જોડાવા એ સૌભાગ્યની વાત છે, કારણ કે તેમણે સોનલ માતાના આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા સોનલ માતાના જન્મશતાબ્દી કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે,માઢડા ધામ ચારણ સમુદાય માટે આદર,શક્તિ,સંસ્કારો અને પરંપરાઓનું કેન્દ્ર છે. હું શ્રી આઈના ચરણોમાં પ્રણામ કરું છું અને નમસ્કાર કરું છું. સોનલ માતાના ત્રણ-દિવસીય જન્મશતાબ્દી ઉત્સવની યાદો હજુ પણ તાજી છે તે વાતને રેખાંકિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ભગવતી સ્વરૂપા સોનલ મા એ હકીકતનું જીવંત ઉદાહરણ છે કે ભારત ક્યારેય કોઈ પણ યુગમાં મહાન આત્માઓથી વંચિત રહ્યું નથી. ગુજરાત અને સૌરાષ્ટ્ર ખાસ કરીને મહાન સંતો અને વ્યક્તિત્વોની ભૂમિ રહી છે તેની નોંધ લેતા પીએમ મોદીએ કહ્યું કે આ પ્રદેશમાં અનેક સંતો અને મહાન આત્માઓએ સમગ્ર માનવતા માટે પોતાનો પ્રકાશ ફેલાવ્યો છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે પવિત્ર ગિરનાર ભગવાન દત્તાત્રેય અને અસંખ્ય સંતોનું સ્થાન છે. સોનલ માતા આધુનિક યુગ માટે પ્રકાશના દીવાદાંડી સમાન હતાં. તેમની આધ્યાત્મિક ઊર્જા,માનવતાવાદી ઉપદેશો અને તપસ્યાએ તેમના વ્યક્તિત્વમાં એક અદ્ભુત દિવ્ય આકર્ષણ ઊભું કર્યું જે આજે પણ જૂનાગઢ અને માઢડાના સોનલ ધામમાં અનુભવાય છે.

વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સોનલ માનું સમગ્ર જીવન લોકકલ્યાણ,દેશ અને ધર્મની સેવા માટે સમર્પિત હતું જ્યાં તેમણે ભગત બાપુ,વિનોબા ભાવે, રવિશંકર મહારાજ,કાનભાઈ લહેરી,કલ્યાણ શેઠ જેવા મહાન લોકો સાથે કામ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચારણ સમુદાયના વિદ્વાનોમાં તેમનું વિશેષ સ્થાન હતું અને તેમણે ઘણા યુવાનોના જીવનને દિશા આપીને બદલી નાખી હતી. સમાજમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડતાં.

તેમણે જણાવ્યું હતું કે,સોનલ માતાએ સમાજને દુષ્ટ પ્રથાઓથી બચાવવાનું કામ કર્યું હતું અને કચ્છના વોવર ગામમાંથી એક વિશાળ સંકલ્પ અભિયાન શરૂ કર્યું હતું જેમાં સખત મહેનત કરીને અને પશુધનનું રક્ષણ કરીને આત્મનિર્ભર બનવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે,આધ્યાત્મિક અને સામાજિક કાર્યની સાથે સાથે સોનલ મા દેશની એકતા અને અખંડિતતાના પણ મજબૂત રક્ષક હતાં અને વિભાજનના સમયે જૂનાગઢને તોડવાના ષડ્યંત્રો સામે મા ચંડીની જેમ તેઓ ઊભાં રહ્યાની માહિતી તેમણે આપી હતી.

શ્રી સોનલ મા એ ચારણ સમુદાયના દેશ માટેના યોગદાનનું એક મહાન પ્રતીક છે એવું વડા પ્રધાને કહ્યું હતું.

તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે ભારતનાં શાોમાં પણ આ સમાજને વિશેષ સ્થાન અને સન્માન આપવામાં આવ્યું છે. ભાગવત પુરાણ જેવા પવિત્ર ગ્રંથો ચારણ સમુદાયને શ્રી હરિના સીધા વંશજ તરીકે દર્શાવે છે. મા સરસ્વતીએ પણ આ સમાજને વિશેષ આશીર્વાદ આપ્યા છે. આ સમાજમાં અનેક વિદ્વાનોનો જન્મ થયો છે અને પૂજ્ય થરણ બાપુ,પૂજ્ય ઈસરદાસ જી, પિંગલશી બાપુ,પૂજ્ય કાગ બાપુ,મેરુભા બાપુ,શંકરદાન બાપુ,શંભુદાન જી,ભજનિક નારણસ્વામી, હેમુભાઈ ગઢવીનાં ઉદાહરણો આપ્યાં હતાં. પદ્મશ્રી કવિ દાદા અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને આવી અનેક હસ્તીઓ જેમણે ચારણ સમાજને સમૃદ્ધ કર્યો છે.વિશાળ ચારણ સાહિત્ય હજુ પણ આ મહાન પરંપરાનો પુરાવો છે. દેશભક્તિનાં ગીતો હોય કે આધ્યાત્મિક ઉપદેશો,ચારણ સાહિત્યે સદીઓથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે,
શ્રી સોનલ માના શક્તિશાળી ભાષણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે જો કે તેમણે ક્યારેય પરંપરાગત પદ્ધતિઓ દ્વારા શિક્ષણ મેળવ્યું ન હતું, તેમ છતાં તેમનું સંસ્કૃત જેવી ભાષાઓ પર મજબૂત નિયંત્રણ હતું અને શાોનું ઊંડું જ્ઞાન હતું. “જેઓએ તેમની પાસેથી રામાયણની વાર્તા સાંભળી છે તેઓ તેને ક્યારેય ભૂલી શકશે નહીં, જો સોનલ માતાને ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યાના શ્રીરામ મંદિરમાં યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા સમારોહની જાણ થશે તો તેની ખુશીની કોઈ સીમા નહીં રહે એવું જણાવીને વડા પ્રધાને દરેકને ૨૨મી જાન્યુઆરીના શુભ અવસર પર શ્રીરામ જ્યોતિ પ્રગટાવવા વિનંતી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ