અમદાવાદથી અયોધ્યાની પહેલી સીધી ફ્લાઇટ આજથી શરૂ, જયશ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યુ એરપોર્ટ..
![The first direct flight from Ahmedabad to Ayodhya started today, the airport resounded with the sound of Jaishreram..](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/GDiKwoyaoAA7new-576x470.jpeg)
અમદાવાદ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવ્ય કાર્યક્રમ યોજાવાનો છે જેને પગલે રામભક્તોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજથી અમદાવાદથી અયોધ્યા સુધીની પહેલી સીધી ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કરી હતી. તેઓ પોતે પણ આ જ ફ્લાઇટમાં પ્રવાસ કરીને અયોધ્યા પહોંચ્યા છે.
વર્ષો બાદ પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું હોવાથી રામભક્તો કાગડોળે રાહ જોઇ રહ્યા છે કે ક્યારે તેમને આ ભવ્ય કાર્યક્રમના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થાય. ગુજરાતમાં પણ દરેક ખૂણે રામમય વાતાવરણ છે. સરકાર દ્વારા જ્યારે ટ્રેન સેવા અને ફ્લાઇટ સેવા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ભક્તોનો ધસારો સતત વધશે.
આજે અમદાવાદથી અયોધ્યાની પ્રથમ ફલાઈટમાં રામલલ્લાના દર્શન અને હનુમાન યજ્ઞનો લાભ લેવા જઈ રહ્યા છીએ ત્યારે @IndiGo6E_HQ ફ્લાઈટ દ્વારા ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી અને સમગ્ર રામભક્તોનું અદભૂત પૂર્વક સન્માન કરવામાં આવ્યું. #Indigo ફ્લાઈટના તમામ વ્યવસ્થા સ્થાપકોનો ખૂબ ખૂબ આભાર pic.twitter.com/dVOCD7MJX0
— Purnesh Modi (@purneshmodi) January 11, 2024
આજે જ્યારે પહેલી ફ્લાઇટ ટેક ઓફ થઇ રહી હતી ત્યારે સમગ્ર એરપોર્ટ જયશ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, કેટલાક પ્રવાસીઓ તો જાણે રામલીલામાં પાત્ર ભજવવાના હોય તેમ પોતે જ શ્રીરામ, જાનકી, લક્ષ્મણ, હનુમાનજી સહિતના પાત્રોનો વેશ ધારણ કરીને આવ્યા હતા. અમુક મીડિયા અહેવાલો મુજબ ફ્લાઇટમાં બેસનારા પ્રવાસીઓનું પણ ઇન્ડિગો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતા.
ઉલ્લેખનીય છે કે રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે પણ અયોધ્યાને જોડતી સીધી ટ્રેનો ક્યારથી શરૂ થશે તેની તારીખવાર માહિતી તેમના સોશિયલ મીડિયામાં મુકી છે. ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રેલવે પ્રધાને ખાસ ‘આસ્થા ટ્રેન’ દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ 10 ફેબ્રુઆરીથી, સુરત-અયોધ્યા-સુરત 10 ફેબ્રુઆરીથી, ભાવનગર-અયોધ્યા-ભાવનગર 9 ફેબ્રુઆરીથી, રાજકોટ-અયોધ્યા-રાજકોટ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. સૌથી વહેલી ટ્રેન ઇન્દોર-અયોધ્યા-ઇન્દોરની 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.
चलो अयोध्या चलें…
— Darshana Jardosh (@DarshanaJardosh) January 10, 2024
आराध्य देव प्रभु श्री राम की नगरी अयोध्या न सिर्फ भारत बल्कि दुनिया भर में आकर्षण का केंद्र बनती जा रही है…
जहां पर लाखों करोड़ों श्रद्धालु अयोध्या जाने की चाह रख रहे हैं, वहीं विभिन्न शहरों से सीधे अयोध्या के लिए आस्था ट्रेनें शुरू होने जा रही हैं, जो इस… pic.twitter.com/WK7TW3tBeH