આમચી મુંબઈ

મુંબઇ – થાણેની ૨૦૦ દવાની દુકાનોમાં ‘ફાર્માસિસ્ટ’ નથી

મુંબઈ: દવાની દુકાનોમાં કાયદાકીય રીતે ફાર્માસિસ્ટ હોવું ફરજિયાત છે. જોકે, મુંબઈ અને થાણેમાં ૨૦૦થી વધુ દુકાનોમાં કોઈ ફાર્માસિષ્ટ ન હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ તેની અવગણના કરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પ્રિસ્ક્રિપ્સનમાં ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા દર્દીને યોગ્ય રીતે આપવામાં આવે તે સુનિશ્ર્ચિત કરવા માટે, દવાઓનું વેચાણ કરતી દુકાનોમાં ફાર્માસિસ્ટ હોવું ફરજિયાત છે. જો ફાર્માસિસ્ટ ન હોય તો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા દુકાન માલિકનું લાઇસન્સ રદ કરી કાર્યવાહી
થઈ શકે છે. દવાના વિક્રેતાઓએ
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની રમફળરલ.ળફવફફિતવિિંફ.લજ્ઞદ.શક્ષ આ વેબસાઇટ પર રજિસ્ટર કરવું ફરજિયાત છે. મેડિકલમાં ફાર્માસિસ્ટ છે કે નહીં તેની તપાસ કરવાની જવાબદારી એફડીએની છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત