રાશિફળસ્પેશિયલ ફિચર્સ

15મી જાન્યુઆરીએ સૂર્ય કરશે ગોચર, આ ત્રણ રાશિના જાતકોની Life Express દોડશે Sucsessના Highway પર…

જ્યોતિષશાસ્ત્રમાં પણ એ વાત ખૂબ જ સારી રીતે જણાવવામાં આવી છે અને આપણે પણ બધા જાણીએ છીએ કે દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર ગોચર કરે છે. આ ગોચરની સકારાત્મક અને નકારાત્મક અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે અને 2024માં 15મી જાન્યુઆરીના સૂર્ય ગોચર કરીને પોતાની રાશિ બદલાવી રહ્યો છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યની આ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવાની ક્રિયાને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને એટલે જ તે મકર સંક્રાંતિના નામે ઓળખાશે.


મકર સંક્રાંતિનું હિંદુ શાસ્ત્રોમાં એક વિશેષ મહત્ત્વ છે અને આ ગોચરને કારણે અમુક રાશિના જાતકોને સફળતાની પ્રાપ્તિ થવા જઈ રહી છે આવો જોઈએ કઈ કઈ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર લાભદાયી સાબિત થવાનો છે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર શુભ સાબિત થવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આવકના નવા નવા સ્ત્રોત ખૂલી રહ્યા છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરવાનો મોકો મળી રહ્યો છે. કામના સ્થળે મહેનતના હિસાબે ફળ મળી રહ્યું છે. વિદેશમાં નોકરી શોધી રહેલાં લોકોને પણ સફળતા મળી રહી છે. આર્થિક સમસ્યાઓ દૂર થતી જણાઈ રહી છે. આવકમાં વધારો થશે. પારિવારીક જીવવમાં આવી રહેલી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.

વૃશ્ચિકઃ

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના લોકોને શુભ ફળ આપી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ભૂતકાળમાં કરેલાં સારો કામોના પરિણામો મળી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. કામ માટે કોઈ જગ્યાએ પ્રવાસ પર જઈ શકો છો, જેને કારણે ભવિષ્યમાં લાભ મળી રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ લેવાનું વિચારી રહેલાં વિદ્યાર્થીઓના માર્ગ ખુલી રહ્યા છે. વિદેશયાત્રાના યોગ બની રહ્યા છે.

મીનઃ

મીન રાશિના લોકો માટે સૂર્યનું ગોચર શુભ સાબિત થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કામના સ્થળે વિશેષ ફળની પ્રાપ્તિ થઈ રહી છે. તમારી મહેનતનું ફળ મળી રહ્યું છે. પદોન્નતિના યોગ બની રહ્યા છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને પણ સફળતા મળી રહી છે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. વૈવાહિક જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ રહી છે. જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરવાનો મોકો મળી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે