નવી દિલ્હી: પાડોશી દેશ મ્યાનમાર હાલ રાજકીય અસ્થિરતાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. મ્યાનમારના નાગરીકો ભારતમાં શરણ લેવા માટે આવી રહ્યા છે, ત્યારે હવે મ્યાનમારની સેનાના જવાનો પણ ભારતમાં શરણ લેવા મજબુર બન્યા છે. આસામ રાઇફલ્સના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, સશસ્ત્ર જૂથે લશ્કરી છાવણીઓ પર કબજો મેળવ્યા પછી 151 મ્યાનમાર સૈનિકો ભાગીને મિઝોરમના લોંગતલાઈ જિલ્લામાં આવી ગયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે મ્યાનમાર સેનાના સૈનિકો, જેને ‘તત્માદવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ તેમના શસ્ત્રો સાથે લોંગટલાઈ જિલ્લાના તુયસેન્ટલાંગ તરફ ભાગી ગયા હતા. શુક્રવારે અરાકાન આર્મીના લડવૈયાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના તેમના કેમ્પ પર કબજો કરવામાં આવ્યો હતો અને આસામ રાઈફલ્સ પાસે પહોંચ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સરહદની નજીકના વિસ્તારોમાં મ્યાનમાર આર્મી અને અરાકાન આર્મીના લડવૈયાઓ વચ્ચે ઉગ્ર ગોળીબાર ચાલી રહ્યો હતો. શુક્રવારે મિઝોરમમાં ઘૂસેલા મ્યાનમાર આર્મીના કેટલાક જવાનો ગંભીર રીતે ઘાયલ હાલતમાં હતા, તેમને આસામ રાઈફલ્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ તમામ મ્યાનમાર આર્મી સૈનિકો હવે મ્યાનમાર સરહદ નજીક લોંગતાલાઈ જિલ્લાના પર્વમાં આસામ રાઈફલ્સની સલામત કસ્ટડીમાં છે.
ભારતમાં આવેલા મ્યાનમારના સૈનિકોને થોડા દિવસોમાં તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે કારણ કે વિદેશ મંત્રાલય (MEA) અને મ્યાનમારની સૈન્ય સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. નવેમ્બરમાં, કુલ 104 મ્યાનમાર સૈનિકો મિઝોરમમાં ભાગી આવ્યા હતા. મ્યાનમાર-ભારત સરહદ પરના તેમના લશ્કરી છાવણીઓને લોકશાહી તરફી લશ્કર પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) દ્વારા કબજે કરવામાં આવી હતી.
આ પછી, તેઓને ભારતીય વાયુસેના દ્વારા મણિપુરના મોરેહમાં એરલિફ્ટ કરવામાં આવ્યા, જ્યાંથી તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને મ્યાનમારના નજીકના સરહદી શહેર તમુ મોકલવામાં આવ્યા હતા.
સાચી રીતે નહાવાની રીત જાણો છો?
Discover the right way to shower for healthier skin and hair. Learn essential tips on water temperature, soap choice, and bathing frequency. Feel fresh and rejuvenated every day!