નેશનલ

ઇન્દોરનું દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ઇ-વિઝા સ્વીકારશે

ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરનું દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવેથી પ્રવાસીઓને રાહત આપવા ઇ-વિઝા સ્વીકારશે. જેની લાંબા સમયથી માગ હતી.ભાજપના ઇન્દોર લોકસભા સાંસદ શંકર લાલવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મને તમને જણાવતા આનંદ થાય છે કે દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇ-વિઝા સ્વીકારવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ વિદેશોમાંથી મુસાફરી કરતા લોકોને એરપોર્ટમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને અહીં ઇ-વિઝાની મંજૂરી ન મળવાને કારણે તેમને પાછા મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં મુસાફરો એરપોર્ટમાં પ્રવેશતા સમયે ‘ડિજી યાત્રા’ સુવિધાનો લાભ લઇ શકશે. ‘ડિજી યાત્રા’ સુવિધા ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (એફઆરટી) દ્વારા એરપોર્ટના વિવિધ ચેકપોઇન્ટ પર મુસાફરોની સંપર્ક રહિત અને સીમલેસ મૂવમેન્ટને સુનિશ્ર્ચિત કરે છે. નોંધનીય છે કે ઇન્દોરથી પહેલી સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન ૧૫ જુલાઇ, ૨૦૧૯ના રોજ દુબઇ માટે શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી ઇ-વિઝા સ્વીકારવાની માગ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?