મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
ઝોબાળા હાલ ઘાટકોપર સ્વ. રમેશચંદ્ર મગનલાલ સંઘવીના ધર્મપત્ની હિનાબેન (ઉં.વ. ૭૫) તે તુષાર-જીજ્ઞા, રૂપાલી-કેતનકુમાર, સ્વ. અમીના માતુશ્રી. દક્ષાબેન, સ્વ. અશોકભાઇ, ઇન્દિરાબેન-ભૂપેન્દ્રકુમાર તથા સ્વ. લતાબેન-અશ્ર્વિનકુમારના ભાભી. ભાવિશા, વિવાન, ભવ્યના દાદી. પિયર પક્ષે બોટાદ નિવાસી પ્રવીણચંદ્ર વૃજલાલ દોશીના બેન. તા. ૨૯-૧૨-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ભાયંદર સ્વ. હરીલાલ શિવલાલ દોશીના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન હરીલાલ દોશી (ઉં. વ ૮૩) તે ભગવાનજીભાઇ મહેતાનાં પુત્રી. રીટા મહેશ કાપડિયા, નીતા ઉમેશ દોશી તથા નિલેશ દોશીના માતુશ્રી. સોમવાર તા. ૨૫-૧૨-૨૩ના દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ખારોઇના સ્વ. નવીન ગુણશી અખા ગીંદરા (ઉં. વ. ૫૯) ગુરુવારે તા. ૨૮-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે નિર્મળાબેન ગુણશી અખાના સુપુત્ર. તે જયોતિબેનના પતિ. શિવાની, પ્રિયંકા, મોનિશના પિતાશ્રી. અમિત નાઇકના સસરા. જયંતીભાઇ, કુંવરજીભાઇ, પ્રવીણભાઇ, સુરેશભાઇ, ભાનુબેનના ભાઇ. ગામ વણોઇના કેશરબેન મોતીલાલ બૌવાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. બી-૭૦૨, ન્યુ આરતી સોસાયટી, ચિનાઇ કોલેજની સામે, જૂના નાગરદાસ રોડ, અંધેરી (ઇસ્ટ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
હલેન્ડા નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. વર્ષાબેન કિરીટભાઇ દેસાઈ (ઉં. વ. ૭૮) તા.૨૮/૧૨/૨૦૨૩ ના અરિહંતશરણ પામ્યા છે. તે ગઢડા(સ્વામીના) નિવાસી તે સ્વ. મહિપતભાઈ, સ્વ.ત્રંબકભાઈ, સ્વ. હિમંતભાઈ, જશવંતભાઈ, સ્વ. સુરેશભાઈ વલ્લભદાસ મોરારજીભાઈ, સ્વ. ગુણીબેન નવીનચંદ્રના બેન. તે સ્વ. બળવંતરાય, હસમુખભાઈ ભાણજી, સ્વ. દયાબેન રતિલાલ, સ્વ. કાંતાબેન નવીનચંદ્ર, સ્વ. પ્રતિભાબેન હર્ષદરાય, સ્વ. ભારતીબેન પ્રફુલચંદ્ર, સ્વ. સુનિતાબેન શરદચંદ્રના ભાભી. નિલેશ, કૌશિક, રાહુલના માતુશ્રી. શીતલ, દર્શના, રિદ્ધિના સાસુ. પ્રાર્થનાસભા તા. ૦૧/૦૧/૨૦૨૪ ના સોમવારે ૧૦ થી ૧૨, પાવનધામ, પાવનધામ માર્ગ, બીસીસીઆઈ ગ્રાઉન્ડ સામે, મહાવીર નગર, કાંદીવલી(પ.) ત્વચાદાન કરેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વાવડી (ગજાભાઇની) નિવાસી હાલ મુલુંડ સ્વ. સંઘવી જયંતીલાલ છગનલાલના સુપુત્ર સ્વ. અશોકભાઇના ધર્મપત્ની જયોત્ષનાબેન (ઉં. વ. ૬૬) તા. ૨૯-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે રક્ષીત, પૂર્વી, શ્રેયાના માતુશ્રી. વિરલ, મિતુલ અને શ્રદ્ધાના સાસુ. તે પ્રવીણભાઇ, ભરતભાઇ, કિશોરભાઇ, સ્વ. પુષ્પાબેન ખાંતીલાલ, જયાબેન જયંતીલાલ, ભારતીબેન નરેન્દ્રકુમારના ભાઇના ધર્મપત્ની. પિયર પક્ષે કેરીયા નિવાસી હાલ મલાડ સ્વ. શાંતિલાલ છગનલાલ શાહના દીકરી. ઠે. રક્ષિત અશોકભાઇ સંઘવી, ૩૦૨, ઇન્દુસદન, આર. એચ. બી. રોડ, બાપાજીની ઝૂંપડીની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
શેરડીના ગીતા દેઢીયા (ઉં. વ. ૫૧) તા ૨૯-૧૨ના અવસાન પામેલ છે. હીરાલાલના ધર્મપત્ની. ખેતબાઇ માવજીના પુત્રવધુ. દર્શન, જીજ્ઞાના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?