આમચી મુંબઈ

દુરન્તો એક્સ્પ્રેસ ટ્રેનમાં ૨૪૦ કિલો ચાંદીના દાગીનાની દાણચોરી

મુંબઈ: દેશમાં રેલવે દ્વારા દાણચોરી કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં પશ્ર્ચિમ રેલવેની ટીમ દ્વારા ૨૪૦ કિલો ચાંદીના દાગીનાને જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી પશ્ર્ચિમ રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.

પશ્ર્ચિમ રેલવે માર્ગ પર દોડતી હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સ્પ્રેસ (ટ્રેન નં. ૧૨૨૬૮)માં ટેક્સ બચાવવા માટે પાર્સલ દ્વારા દાગીનાની દાણચોરી ચાલી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર દુરન્તો એક્સ્પ્રેસમાં કોઈ પણ ડિલિવરી સિવાય સામાનને સ્ટેશનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ સામાન માટે માત્ર ૧૩૪૯ રૂપિયા ટેક્સ ભરવામાં આવ્યો હતો. પણ રેલવેની ટીમને આ સામાન પર શંકા આવતા તેને અટકાવવામાં આવ્યો હતો. પણ આ કાર્યવાહી બાદ અમુક સામાનને ઇનકમ વેરહાઉસમાં નોંધણી કરવા માટે છોડવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ સામાન પર નજર રાખતા રેલવેની ટીમ ગોદામમાં પહોંચી હતી. પણ તેમને કઈ મળ્યું નહીં. ત્યારબાદ રેલવે ટીમને આ સામાન પર ફરી શંકા આવતા તેઓ ટ્રક લોડીંગ ભાગમાં પહોંચ્યા હતા. પોલીસ અને રેલવેની ટીમે આ સામાનને પોતાના તાબામાં લીધો હતો.

આ સામાનની વધુ તપાસ કર્યા બાદ તેમાંથી ચાંદીના દાગીનાના છ બંડલ મળી આવ્યા હતા. આ ૨૪૦ કિલોના ચાંદીના દાગીનાની કિમત ૧.૩૪ કરોડ હોવાની માહિતી અધિકારીએ આપી હતી. પોલીસે આ બધા દાગીનાને જપ્ત કર્યા હતા અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?