ટોપ ન્યૂઝનેશનલ

શું હવે કોરોનાથી રક્ષણ મેળવવા રસીનો ચોથો ડૉઝ લેવો પડશે?

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તે જ સમયે, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનું નવું સબ-વેરિયન્ટ JN.1 ભારતમાં પ્રવેશ્યું છે. કેરળમાં પહેલો કેસ સામે આવ્યા બાદ ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં કેસમાં ઝડપથી વધારો થયો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં બૂસ્ટર ડોઝ કે ચોથી રસી લેવાની જરૂર નથી. ઇન્ડિયા SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના વડા એન.કે. અરોરાએ કહ્યું કે નવા સબ-વેરિઅન્ટ્સ સામે આવ્યા પછી, કોરોના રસીના બૂસ્ટર ડોઝની જરૂર નથી.


ડૉ. અરોરાએ કહ્યું કે માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેઓ ગંભીર બીમારીઓથી પીડિત છે, તેઓ સાવચેતીના પગલા તરીકે ત્રીજો ડોઝ લઈ શકે છે. જો તેણે હજુ સુધી એક પણ ડોઝ લીધો નથી. હાલમાં સામાન્ય લોકોને ચોથા ડોઝની જરૂર નથી. આથી લોકોએ માત્ર સાવધાની વરતવાની છે.


તેમણે એમ પણ કહ્યું રાહતની વાત એ છે કે ઓમિક્રોનના આ નવા સબ-વેરિઅન્ટ સાથે નોંધાયેલા કેસ બહુ ગંભીર નથી અને કોરોના પોઝીટીવ દરદીઓને લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. JN.1 સબવેરિયન્ટના લક્ષણોમાં તાવ, વહેતું નાક, ઉધરસ, ક્યારેક ઝાડા અને શરીરના ગંભીર દુખાવાનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે એક અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પહેલાથી જ રાજ્યોને ટેસ્ટિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…