નેશનલ

2023ના સાહિત્ય અકાદમી પુરસ્કાર થયા જાહેર, જાણો કોને મળ્યા એવોર્ડ

સાહિત્ય અકાદમીએ વર્ષ 2023 માટે કુલ 24 ભાષાના લેખક તેમ જ કવિઓ માટે પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. આમાં હિન્દી માટે સંજીવ, ગુજરાતી માટે વિનોદ જોષી, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દુ માટે સાદિકા નવાબ સહરના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉર્દૂમાં આ બીજી વખત છે જ્યારે કોઈ મહિલાને એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. આ બધા લેખકો અને કવિઓને 12 માર્ચ, 2024ના રોજ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ માટે કવિ અને લેખકોની પસંદગી કરવા માટે દરેક ભાષા માટે ત્રણ જજોનું બોર્ડ બનાવવામાં આવ્યું છે.

સંજીવની નવલકથા મુઝે પહનાહોને હિન્દી માટે પસંદ કરવામાં આવી છે અને રાગા જાનકીમાં નીલમ શરણ ગૌરની નવલકથા રિક્વીમ અંગ્રેજી માટે પસંદ કરવામાં આવી છે.


સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનારા લેખકોને તાંબાની પ્લેટ જેવી ટ્રોફી, શાલ અને એક લાખ રૂપિયાની રકમ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. 12 માર્ચે કામાયની ઓડિટોરિયમમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. સાહિત્ય અકાદમી 12 માર્ચે તેના 70 વર્ષ પૂર્ણ કરી રહી છે, તેથી આ ઉજવણી મહત્વપૂર્ણ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…