આમચી મુંબઈ

બોમ્બે હાઈકોર્ટે પાલિકાની ઝાટકણી કાઢી, હોર્ડિંગ્સ પર ક્યુઆર કોડ કેમ નથી લાગ્યા?

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડોક્ટરની ખંડપીઠે રાજ્ય સરકાર દ્વારા હોર્ડિંગ્સ અંગે આપવામાં આવેલા આદેશનું પાલન ન કરવા બદલ પાલિકાની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. બેન્ચે પૂછ્યું કે હોર્ડિંગ્સ પર ક્યુઆર કોડના ફરજિયાત ઉપયોગને લઈને પાલિકાએ અત્યાર સુધી કંઈ કર્યું નથી. શું સરકારનો જીઆર તેમને લાગુ પડતો નથી? બેન્ચે હોર્ડિંગ માટે શહેરમાં અલગ સ્થાન નિર્ધારિત ન કરવા બદલ પાલિકાની પણ ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે હવે તમામ પાલિકાને તેના જીઆરના આધારે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાત્રે ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવા અંગે પાલિકાના દાવાને ધ્યાનમાં રાખીને બેન્ચે કહ્યું કે રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ.

ખંડપીઠે કહ્યું કે આવા હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવાની સિસ્ટમ છે, પરંતુ સમસ્યા એ છે કે આ સિસ્ટમ કેવી રીતે અને કોણે સક્રિય કરવી જોઈએ. શું વહીવટીતંત્ર આ શહેરને સ્વચ્છ રાખવાની અપેક્ષા પુરી કરી શકે તેવું ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવા જેવું સાધારણ કામ પણ ન કરી શકે? હોર્ડિંગ્સ અને કલ્યાણ-ડોમ્બિવલી અધિકારીના અપહરણ સામે કાર્યવાહી કરનાર પાલિકાના કર્મચારી પર હુમલાના ઘટસ્ફોટ પર કોર્ટે આ ટિપ્પણી કરી છે. ગેરકાયદે હોર્ડિંગ્સ અંગે સુસ્વરાજ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

હોર્ડિંગ્સ હટાવવાનું મુશ્કેલ નથી

ખંડપીઠે કહ્યું કે પોલીસ મહાનિર્દેશકે તમામ પોલીસ સ્ટેશનોને રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવા અંગે પરિપત્ર જારી કરવો જોઈએ. હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરતા પાલિકાના કર્મચારીઓને જરૂરિયાત મુજબ સુરક્ષા પૂરી પાડવામાં આવે. બેન્ચે કહ્યું કે હોર્ડિંગ્સ હટાવવા મુશ્કેલ નથી, તેને હટાવવાની ઈચ્છાશક્તિનો અભાવ છે. કામની જવાબદારી એકબીજા પર ઢોળવાનું ટાળવું જોઈએ. ખંડપીઠે કહ્યું હતું કે મહાનગરપાલિકા સરકારના આદેશોનું પાલન કરી રહી છે કે કેમ તેના પર સરકાર પાસે કઈ વ્યવસ્થા છે તે આગામી સુનાવણી દરમિયાન જાહેર કરવામાં આવે. પાલિકાના જણાવ્યા અનુસાર છ મહિનામાં 21,000 ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે. જેમાંથી 4,000 હોર્ડિંગ્સ રાજકીય પક્ષોના હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત