આમચી મુંબઈ

ભાતસા ડેમ અસરગ્રસ્તોને પાંચ દાયકા બાદ રાહત

પ્લોટ ફાળવણીની પ્રક્રિયાના એક વર્ષ પછી વાસ્તવિક કબજો

થાણે : શાહપુર તાલુકામાં ભાતસા ડેમ પ્રભાવિતોને લાંબા સંઘર્ષ બાદ આખરે તેમના અધિકારના પ્લોટનો કબજો મળ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગત વર્ષે અસરગ્રસ્તોને પ્લોટ ફાળવવાનો હુકમ આપવામાં આવ્યો હતો, પરંતુ એક વર્ષના સમયગાળા પછી પ્લોટની વાસ્તવિક ફાળવણી શરૂ થઈ છે. કુલ ૯૭ અસરગ્રસ્તોને પ્લોટની ફાળવણી કરવાની હતી, તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા માત્ર ૪૩ પ્રોજેક્ટ પીડિતોને જ પ્લોટની વાસ્તવિક ફાળવણી કરવામાં આવી છે. આ પીડિતોને પાંચ દાયકા બાદ પ્લોટનો વાસ્તવિક કબજો મળ્યો છે. ૧૯૬૮માં ભાતસા ડેમના નિર્માણ દરમિયાન ૩૫૩ હેક્ટર ખાનગી જમીન સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. ડેમ બાંધતી વખતે પુનર્વસનનો કોઈ કાયદો ન હોવાથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.૨૩૦ના દરે જમીનનું વળતર આપવામાં આવ્યું હતું. થોડા વર્ષો પછી, ૯૭ અસરગ્રસ્ત ખેડૂતોએ વધારાના પ્લોટ અને પરિવારના એક સભ્ય માટે સરકારી નોકરીની માગણી કરી. મુંબઈની વધતી જતી વસ્તી અને તેમને પાણી પુરવઠાની સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૬૮માં આ ડેમ બાંધવામાં આવ્યો હતો. ૧૯૮૬માં ભાટસા પુનવર્સન સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી.
તદનુસાર ભાતસા નગરમાં ચાર વર્ષ પહેલા ૯૭ અસરગ્રસ્તોને પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રોજેક્ટ પીડિતોના વારસદારોને મહિનામાં પ્લોટની રકમ ફાળવવામાં આવી હતી. તેથી તેમને તાકીદે પ્લોટનો વાસ્તવિક કબજો અપેક્ષિત હતો. પરંતુ તેમને લગભગ એક વર્ષ પછી, પ્લોટ સોંપવામાં આવ્યા હતા. ૯૭ પીડિતોમાંથી ૪૩ પીડિતોને પ્લોટનો કબજો આપવામાં આવ્યો હતો. અન્ય પ્રોજેક્ટ પીડિતો મૃત્યુ પામ્યા છે અને તેમના વારસદારોની શોધખોળ ચાલી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…