મરણ નોંધ

જૈન મરણ

ચૌદગામ વિશા પોરવાડ જૈન
ઊંઝા નિવાસી હાલ મલાડ ગં.સ્વ. સુશીલાબેન રસિકલાલ પટવાના પુત્રવધૂ અ.સૌ. અજીતાબેન સતિષભાઈ પટવા (ઉં. વ. ૬૬) તે ૧૬/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કાજલ અતુલ મેઘાણી, રીમા રાહુલ કપાસી તથા બીજલ નિકુંજ અમલાણીના માતુશ્રી. શ્રેણિક, મિલન, અંજુ હેમેન્દ્ર શાહના ભાભી. પિયરપક્ષે સુરેન્દ્રનગર નિવાસી સ્વ. રંજનબેન મુગટલાલ શાહના દીકરી. જયશ્રી રાજેશ વ્યાસ, ભાવના સુભાસ ગડકરી, જાગૃતિ મધુસુદન સંઘવી તથા રાજેશના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮/૧૨/૨૩ના ૫ થી ૭ કલાકે કૌશિક હોલ, દફતરી રોડ, દેનાબેંક લેન, યુનિવર્સલ સ્કૂલની સામે, મલાડ ઈસ્ટ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી સુરેન્દ્ર રતિલાલ દોશીના ધર્મપત્ની ભાવનાબેન (ઉં. વ. ૬૮) તે ૧૬/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભૌમિક, વૈશાલીના માતુશ્રી ચાર્મી, ચિરાગકુમારના સાસુ. રતિલાલ અમૂલખ દોશીના દીકરી. કિશોરભાઈ, રીટાબેનના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ચમારડી નિવાસી સ્વ.કાલિદાસ રાધવજી મહેતાના પુત્ર તલકચંદભાઈ (ઉં. વ. ૮૫) તા. ૧૫/૧૨/૨૩ શુકવારના અરિહંતશરણ પામેલ છે. જે સ્વ. કુસુમબેનના પતિ. સ્વ. નાનચંદભાઈ, સ્વ. રમણિકભાઈ, મહીપતભાઈ. તથા સ્વ. વિમળાબેન પોપટલાલ શાહ ભંડારીયાવાળાના ભાઈ. કલ્પેશ, સંદિપ, સુનિલના પિતા. ભાવિતા, અવની, પ્રિતીના સસરા. ધારંગણિ નિવાસી શીવજી દેવચંદ વડાલીયાના જમાઈની પિતૃવંદના (પ્રાર્થના)તા. ૧૯/૧૨/૨૩ ને મંગળવારે સવારે ૧૦ થી ૧૨ કલાકે વર્ધમાન સ્થાનકવાસી હોલ, (સર્વોદય હોલ), ડાયમંડ ટોકિઝની સામે, એલ.ટી.રોડ, બોરીવલી વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર નિવાસી હાલ બોરીવલી સ્વ. મોંઘીબેન મુક્તિલાલ વોરાના પુત્ર કિરીટકુમાર વોરા (ઉં. વ. ૮૧) તે સ્વ. ચંદ્રિકાબેન તથા કલ્પનાબેનના પતિ. મનીષ, આશિષ તથા ઉર્વીના પિતા. સ્વ. એવંતીભાઈ, કીર્તિભાઇ, સ્વ. વિક્રમભાઈ, સ્વ. પુષ્પાબેન, સ્વ. પ્રતિભાબેનના ભાઈ. સ્વ. રતિલાલ લહેરચંદ શાહ તથા સ્વ. અમૃતલાલ ચંદુલાલ રાઠોડના જમાઈ તા. ૧૬/૧૨/૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈન
લીબંડી (બોટાદ) નીવાસી, હાલ કલ્યાણ સ્વ. સરોજબેન તથા સનતકુમાર શીવલાલ ગાંધીના પૂત્રવધૂ. અ.સો. કોમલ (ઉં. વ. ૪૬) તે નિલેશભાઈ સનતકુમાર ગાંધીના ધર્મપત્ની. કુશલ, કિશ્રાના માતુશ્રી. તે જતીનભાઈ તથા મનીષાબેન હિતેશકુમાર શાહના ભાઈના પત્ની તે નયનાબેનના દેરાણી. પીયર પક્ષે – અરૂણાબેન રમેશભાઈ બારભાયાના દિકરી તા. ૧૭/૧૨/૨૩ રવિવાર ના અરિહંત શરણ પામેલ છે. સદૃગતનુ ટેલિફોનીક બેસણું ૧૮/૧૨/૨૩ના સોમવાર સાંજે ૪ થી ૫.૩૦ રાખેલ છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના માતુશ્રી લક્ષ્મીબેન ગોગરી (ઉં. વ. ૮૫) તા. ૧૫-૧૨-૨૩ ના અવસાન પામ્યા છે. સ્વ. લખમશી પ્રેમજી ગોગરીના ધર્મપત્ની. સ્વ. ગંગાબાઇ પ્રેમજીના પુત્રવધૂ. નીતીન, સ્વ. અતુલ, જયેશ, જીતુના માતુશ્રી. કારાઘોઘાના પાનબાઇ કારૂ આસમલના પુત્રી. સ્વ. હંસરાજ, વસનજી, વલભજી, બારોઇના સ્વ. હીરબાઇ દામજી, મેરાઉના સ્વ. રતન સુંદરજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ ગોગરી, ૩૦૧, સ્વાનંદ બિલ્ડીંગ, રામનગર, બાલ ભવનની બાજુમાં, ડોંબીવલી (ઇસ્ટ).
સમાઘોઘાના સરલા પ્રવિણ ભેદા (ઉં. વ. ૬૩) તા. ૧૬-૧૨-૨૩ના અવસાન પામેલ છે. રેવંતીબેન મગનલાલના પુત્રવધૂ. પ્રવિણના પત્ની. કોમલના માતુશ્રી. પાનબાઇ નાનજી સોનીના પુત્રી. પ્રાગપુર નીતા ચંદ્રકાંત, ડેપા ઉષા જયેશ, કારાઘોઘા અરૂણા ધીરજના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. પ્રવિણ ભેદા, એફ-૧૦૦૬, સુખહર્તા બીલ્ડીંગ, એમ.પી.માર્ગ, લાલબાગ, મું. ૧૨.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત