નેશનલ

સિંગાપોરમાં એક અઠવાડિયામાં કોરોનાના ૫૬ હજાર કેસ નોંધાયા

કોરોનાએ ફરી લોકો વચ્ચે પગપેસારો કર્યો છે. સિંગાપોરમાં કોરોનાના કેસ ફકત એક અઠવાડિયામાં જ ૫૬ હજારનો આંકડો વટાવી ગયા છે.

સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં ૭૫ ટકાનો વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે ૧૯ ડિસેમ્બરથી દરરોજ કોરોના અપડેટ્સ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

સિંગાપોર સરકારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે, જે લોકો બીમાર નથી તેમને પણ માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે. ખાસ કરીને વૃદ્ધ લોકો સાથે રહેતા લોકોને ઘરની અંદર પણ માસ્ક પહેરવાની તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ટૂંક સમયમાં કોવિડ દર્દીઓ માટે બેડ અને બીજી વ્યવસ્થા કરવામાં આવશે. જોકે સિંગાપોરની ક્રોફર્ડ હૉસ્પિટલ પહેલેથી જ કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે.

સિંગાપોરમાં હાલમાં કોરોના સંક્રમણને કારણે હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા દરરોજ સરેરાશ ૨૨૫-૩૫૦ છે. તેમ જ રોજ ૪ થી ૫ દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવા પડે છે. મોટાભાગના સંક્રમિત દર્દીઓ કોરોના વેરિયન્ટ ઉંગ.૧ થી સંક્રમિત છે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વેરિયન્ટ એટલો
ચેપી નથી કે તરત જ એક દર્દીથી બીજા દર્દીમાં ટ્રાન્સફર થાય છે.

નોંધનીય છે કે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. શુક્રવારે દેશમાં કોરોનાના ૩૧૨ નવા કેસ નોંધાયા છે, ૨૮૦ કેસ ફકત કેરળના છે. તેમ જ જે દર્દીઓને ચેપ લાગ્યો છે, તેમનાં લક્ષણો પણ બહુ ગંભીર નથી. સરકારી ડેટા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૧૭૬૦૫ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત