આમચી મુંબઈ

પૃથ્વીરાજ ચવ્હાણની ચર્ચાની માગને સ્પીકરે ઠુકરાવી

નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે ચંદ્રપુર અને પુણે લોકસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજવા અંગે રાજ્યના પ્રતિસાદની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણની માગને ઠુકરાવી દીધી હતી.

બોમ્બે હાઈ કોર્ટે બુધવારે ભારતીય ચૂંટણી પંચને પુણે લોકસભા બેઠક માટે પેટાચૂંટણીને તાત્કાલિક યોજવા માટે જણાવ્યું હતું. કોર્ટે ભારપૂર્વક એવું જણાવ્યું હતું કે આ મતવિસ્તારના લોકોને લાંબા સમય સુધી પ્રતિનિધિત્વ વિના છોડી શકાય નહીં. વિપક્ષે આ આદેશને આવકાર્યો છે.

પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન હેઠળ મામલો ઉઠાવતાં ચવ્હાણે જણાવ્યું હતું કે બોમ્બે હાઈ કોર્ટે ચૂંટણી પંચને સંબંધિત સાંસદોના મૃત્યુ બાદ ખાલી પડેલી પુણે અને ચંદ્રપુર લોકસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો છે. હું આ અંગે મહારાષ્ટ્ર સરકારનું વલણ જાણવા માગું છું, કારણ કે રાજ્યની મંજૂરી વિના ચૂંટણી થઇ શકે નહીં. ચવ્હાણે એવો પણ આગ્રહ સેવ્યો હતો કે ટ્રેઝરી બેન્ચમાંથી કોઇ તેમણે કરેલી માગણીનો જવાબ આપે. જોકે નાર્વેકરે આ માગને ફગાવી દીધી હતી. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…