મરણ નોંધ

હિન્દુ મરણ

જુલા નિવાસી સ્વ. પદમાબેન રતીલાલ ભવાનીદાસ દોશીના પુત્ર જીતુભાઈ (ઉં.વ. ૬૯) તા. ૧૦-૧૨-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે કીરન, સ્વ. અશોક, શ્રીમતી કલ્પના નરેન્દ્ર પારેખના ભાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.
નવગામ ભાવસાર જ્ઞાતિ
ગામ ગઢપુર, હાલે વસઈ રસિકલાલ નાનાલાલ હળવદિયા (ઉં.વ. ૭૮) તા. ૧૨-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. જલ્પા સંજયકુમાર, રત્નેશ, યજ્ઞેશના પિતાશ્રી. સોનલ, મેઘા, સંજયકુમારના સસરા. નમન, જીલ, રૂદ્ર, પરિતા, પ્રણાલીના દાદાજી. રમાબેન પ્રાણજીવનદાસ કુંવરાણીના જમાઈ. પ્રાર્થના શુક્રવાર, તા. ૧૫-૧૨-૨૩ના ૪ થી ૬. નિવાસસ્થાન: બી/૧, એટલન મોનિકા હાઉસ, ચુલના રોડ, માણેકપુર, વસઈ વેસ્ટ.
શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ
સ્વ. અનંતરાય જટાશંકર ત્રિવેદી (ઉં. વ.૮૪) ઘાટવડ હાલ વસઇ તેઓ સ્વ. જયશ્રીબહેનના પતિ. રમણીકલાલના ભાઇ. કિર્તી, રક્ષા અને સંજયના પિતા. દિવ્યા, પૂજા અને કેતનકુમારના સસરા. જાહનવી અને દેવલના દાદા બુધવાર, તા. ૧૩-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૫-૧૨-૨૩ના ૫થી ૭. ઠે. વિશ્ર્વકર્મા હોલ, આનંદ નગર, વસઇ (વેસ્ટ).
રાધનપુર તીર્થ નિવાસી વિશા શ્રીમાળી જૈન
સ્વ. કંચનબેન જીવતલાલ કોઠારીના સુપુત્ર કિરીટભાઈ કોઠારી (ઉં.વ. ૭૨) તે હાલ ભાયંદર ભારતીબેનના પતિ. નિલેશ-પુનિતા, પિયુષ સેજલના પિતા. સ્વ. કનકભાઈ પ્રેમિલા, દિલીપભાઈ રિટા, મધુબેન રતિલાલ, મંજુબેન જશવંતલાલના ભાઈ. સ્વ. સીતાબેન રસિકલાલ મોદીના જમાઈ. તા. ૧૩/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
નાનાભંડારીયા, હાલ વલસાડ ગં. સ્વ. કાશીબેન મણિલાલ મહેતાના પુત્ર દિનેશભાઇ (ઉં.વ. ૭૫) તે સ્વ. વીણાબેનના પતિ. રિતેશ, સ્વ. હેમલના પિતા. સ્વ. કવિતાના સસરા. સ્વ. રતિલાલ, પ્રવીણભાઈ, સ્વ. અશ્ર્વિનભાઇ, હિમાંશુ, ગં. સ્વ. અરૂણા કિરણ મોદી, શીલા કિશોર ગોરડિયા, કવિતા રાજેશ મહેતા, બિંદુ રાજેશ દોશીના ભાઈ. સ્વ. ચત્રભુજ અમરશી મહેતા ખડકડાવાળાના જમાઈ, ૧૩/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
ગામ કાંકરા, હાલ કાંદિવલી અ. સૌ. જ્યોતિ ઘીયા (ઉં.વ. ૭૨) તે દિનેશકુમાર ભીખાલાલ ઘીયાના પત્ની. સોનલ તથા નિલેશના માતુશ્રી. અરમાનના દાદી. સીમાના સાસુ. સ્વ. તારાબેન તથા સ્વ. નારણદાસ ભુપતાણીના દીકરી. સ્વ. ચંદ્રકાન્ત, દિલીપ, જયંતના બહેન. ૧૩/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લેઉવા પટેલ
કરખડીવાળા હાલ મુંબઈ રવજીભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉં.વ. ૯૨) તે ૧૩/૧૨/૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. તે ભુપેન્દ્રભાઈ, ભરતભાઈ, યોગેશભાઈના પિતા. તેમની પ્રાર્થનાસભા ૧૫/૧૨/૨૩ના ૪ થી ૫.૩૦, સ્વામિનારાયણ મંદિર, અજમેરા સ્કૂલની સામે, યોગી નગર, બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળ જામસલાયા હાલ કાંદિવલીના સ્વ. માયાબેન નારણદાસ બથિયાના પુત્ર પ્રવીણભાઈ બથિયા (ઉં.વ. ૭૦) તે ૧૧/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. કિશોરભાઈ, મીનાબેન તથા હંસાબેન પ્રવિણચંદ્ર પોપટના ભાઈ. જીજ્ઞેશ તથા બીજલના પિતા. પ્રીતિ તથા રાહુલ ચંદ્રકાન્ત જીમૂલીયાના સસરા. સાસરાપક્ષે સ્વ. ગોવિંદજી જમનાદાસ ઉનડકટના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૫/૧૨/૨૩ના ૫ થી ૬.૩૦, લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?