તો આ છે બચ્ચન પરિવારમાં પડેલી દરારનું કારણ?
![So this is the reason for the rift in the Bachchan family?](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Jignesh-J-Pathak-61.jpg)
છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારની પર્સનલ વાતો સોશિયલ મીડિયા પર જાહેરમાં ચર્ચાઈ રહી છે અને એનું કારણ છે બચ્ચન પરિવારના સભ્યો જ દ્વારા કરવામાં આવતી હરકત. પછી એ બિગ બી દ્વારા કરવામાં આવેલી ક્રિપ્ટિક પોસ્ટ હોય કે અભિષેક બચ્ચનનું વેડિંગ રિંગ વગર દેખાવવું કે આર્ચીઝના પ્રીમિયર દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન દ્વારા જયા બચ્ચન અને શ્વેતા બચ્ચનને ઈગ્નોર કરવાની વાત હોય…હવે આ જ અનુસંધાનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે અને આખરે એ કારણ સામે આવી ગયું છે કે જેને કારણે બચ્ચન પરિવારમાં ફાટફૂટ થઈ ગઈ છે.
અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો બચ્ચન પરિવારમાં ફાટફૂટ પડવાનું કારણ છે પ્રોપર્ટી… જે રીતે આપણે ત્યાં પણ ઘણાં પરિવારોમાં આ જ કારણસર ફાટફૂટ થાય છે એવું જ બી-ટાઉનના આ મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાં પણ બન્યું છે.
મળતી માહિતી અનુસાર બિગ બીએ હાલમાં થોડાક સમય પહેલાં દીકરી શ્વેતા નંદાને પ્રતીક્ષા બંગલો ગિફ્ટમાં આપ્યો હતો જેને કારણે પરિવારમાં વિવાદ થયો હતો. આ જ કારણસર ઐશ્વર્યા તેના સાસરિયાવાળા લોકોથી નારાજ છે. વહુની આ હરકતથી નારાજ સસરાએ સોશિયલ મીડિયા પર તેને અનફોલો કરી હોવાની ચર્ચા પણ ઈન્ડસ્ટ્રી અને ફેન્સમાં ચાલી રહી છે.
અત્રે ઉલ્લેકનીય છે બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર કોઈને કોઈ પોસ્ટ કરતાં હોય છે. ગઈકાલે જ તેમણે એક ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી અને આ પોસ્ટ બાદ પણ ફેન્સ, નેટિઝન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા હતા. એટલું જ નહીં ફેન્સ એવું કહી રહ્યા હતા કે બિગ બીએ આ પોસ્ટના માધ્યમથી વહુરાણી ઐશ્વર્યા રાય બચ્ચન સામે નિશાનો સાધી રહ્યા હતા.
સામે પક્ષે ઐશ્વર્યા પણ છેલ્લાં કેટલાક સમયથી જાહેરમાં એકલી કે પછી મોટા ભાગે દીકરી આરાધ્યા સાથે જોવા મળતી હોય છે. તેણે પોતાનો જન્મદિવસ પણ પોતાની માતા અને આરાધ્યા સાથે પિયરમાં જ સેલિબ્રેટ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પોતાની એક્ટિંગ અને પરિવારની એકતાને કારણે ચર્ચામાં રહેનાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારમાં સબકુતચ સલામત નથી અને હવે તેમના પરિવારમાં ફાટફૂટ પડી ગઈ છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચોરેને ચોટે થઈ રહી છે.