આમચી મુંબઈ

વાયુ પ્રદૂષણ: એક મહિનામાં ૭૮૨ સાઈટને નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર ગણાતી ત્રણ નવેમ્બરથી અત્યાર સુધી ૭૮૨ ક્ધસ્ટ્રક્શન સાઈટને કામ બંધ કરવાની મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલી છે, તો આઠ ક્ધસ્ટ્રકશન સાઈટને સીલ કરી દેવામાં આવી છે. વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ ૨૫ ઑક્ટોબરના બહાર પાડયા બાદ તેનું ઉલ્લંઘન કરવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ ૩૩ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પગલાં લેવામાં આવતા પલિકાએ તેમની નોટિસને રદ કરી હતી.

વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પગલાં લઈ રહી છે. તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં બનાવવામાં આવેલી લગભગ ૯૬ ટીમે ત્રણ નવેમ્બરથી પોત-પોતાના વિસ્તારોમાં આવી જગ્યાઓની દૈનિક સ્તરે ઈન્સ્પેકશન કરવાનું ચાલુ કર્યું હતું. જે ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગાઈડલાઈનનું પાલન થતું ન હોવાનું જણાયું હતું તેમને કારણ દર્શાવો નોટિસ અને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી રહી છે. કે-પૂર્વ દ્વારા જોગેશ્ર્વરી, અંધેરી અને વિલેપાર્લેમાં આઠ સાઈટને સીલ કરી નાખવામાં આવી છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ ૨૫ ઑક્ટોબરના ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ પણ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય પગલાં નહીં લેવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી હતી. ગાઈડલાઈનને અમલમાં મૂકવાનું ચાલુ કરવામાં આવશે એ સાથે જ તેમને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે. જોકે સ્ટોપ વર્કની નોટિસ આપ્યા બાદ પણ કામ બંધ નહીં કરનારા સામે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. અત્યાર સુધી બેની સામે પોલીસમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. પાલિકાને ગાઈડલાઈન બહાર પાડીને મહિનો થઈ ગયો છે, છતાં હજી મુંબઈમાં માત્ર ૩૩ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર તેને અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે.

શિવાજી પાર્કમાં એન્ટી સ્મોગ ટાવર બેસાડાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, તેમાં ખાસ કરીને વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધી ગયું છે. આ સમસ્યાથી દાદર-શિવાજી પાર્કના રહેવાસીઓ પણ બચી શક્યા નથી. લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ મેદાનમાંથી લાલ માટી ઊડીને પ્રદૂષણ વધારી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે ધૂળને નિયંત્રણમાં લાવવા સ્મોગ ટાવર બેસાડવાની સાથે જ પાર્કમાં રહેલી લાલ માટી હટાવવા સહિત અન્ય ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવવાની છે, તે માટે તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવને પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે મંજૂરી આપી છે.

દાદરમાં શિવાજી પાર્કની જમીનનો અભ્યાસ કરવા અને તેનો ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગર પાલિકા સલાહકાર નીમવાની છે. સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી લાલ માટી અને ધૂળની ડમરીઓ વધી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. તેથી પાલિકાએ શિવાજી પાર્કમાં હરિયાળી વધારવા અને તેની સુંદરતા વધારવા માટે સ્મોગ ટાવર બેસાડવાની યોજના બનાવી રહી છે. સલાહકાર નીમ્યા પછી તે એક મહિનામાં તેનો રિપોર્ટ સબમીટ કરે તેવી અપેક્ષા છે. જોકે આ પ્રોજેક્ટ સામે સ્થાનિક રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે.મંજૂરી બાદ આઈઆઈટીની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવવાની છે. તેનો અહેવાલ આવ્યા બાદ ટેન્ડર બહાર પાડીને ધૂળ રોકવા માટે પગલા લેવામાં આવવાના છે. શિવાજી પાર્કના સ્થાનિક નાગરિકો લાલ માટીથી કંટાળી ગયા છે. ઑક્ટોબર મહિનામાં તેઓ વિરોધ પ્રદર્શન કરીને લાલ માટી દૂર કરવાની માગણી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?