સ્પોર્ટસ

BCCIની મોટી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાના કોચ

નવી દિલ્હીઃ ICC વર્લ્ડ કપ 2023 બાદ હવે BCCI દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ODI વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે રમાઈ હતી. આમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો, પરંતુ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો. મોટી વાત એ છે કે આ જ દિવસે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે શું રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે અથવા BCCI કોચ તરીકે નવા અનુભવી ખેલાડીની નિમણૂક કરશે. પરંતુ હવે આના પરથી પડદો હટી ગયો છે. બીસીસીઆઈએ હવે જાહેરાત કરી છે કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ જ રહેશે.

https://twitter.com/BCCI/status/1729772852096700887?s=20

BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટને વધારવાની જાહેરાત કરી છે. હાલમાં જ BCCI અને રાહુલ દ્રવિડ વચ્ચે વાતચીત થઈ હતી અને ત્યારબાદ કાર્યકાળ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી.

બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું છે કે ટીમ ઈન્ડિયાની સફળતામાં રાહુલ દ્રવિડનું વિઝન, પ્રોફેશનલિઝમ અને પ્રયત્નો મહત્વપૂર્ણ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે, તેમની માત્ર પડકારોને સ્વીકારવા માટે જ નહીં પરંતુ તેમાંથી આગળ વધવા માટે પણ પ્રશંસા કરવામાં આવે છે.

બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે મેં તેમની નિમણૂક સમયે જ કહ્યું હતું કે મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે રાહુલ દ્રવિડથી સારો કોઈ વ્યક્તિ નથી અને દ્રવિડે પોતાના પ્રદર્શનથી ફરીથી પોતાને સાબિત કરી દીધું છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ટીમ ઈન્ડિયા સાથે છેલ્લા બે વર્ષ યાદગાર રહ્યા છે. અમે સાથે મળીને ઉતાર-ચઢાવ જોયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…