મનોરંજન

રાજકુમાર કોહલીની શોકસભામાં ગયેલો સની દેઓલ કેમ થયો ટ્રોલ

જાણો કારણ

મુંબઇઃ જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર કોહલીનું 24 નવેમ્બરે મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

રાજકુમાર કોહલી ‘જાની દુશ્મન’ અને ‘નાગિન’ જેવી ફિલ્મો માટે જાણીતા હતા. તેમના નિધન બાદ રવિવારે તેમના પુત્ર અરમાન કોહલી દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકુમાર કોહલીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રાર્થના સભામાં ઘણા કલાકારો હાજર રહ્યા હતા.


રાજકુમાર કોહલીના અંતિમ સંસ્કારમાં સની દેઓલ, જેકી શ્રોફ, શત્રુઘ્ન સિંહા, જેકી શ્રોફ, રાજ બબ્બર અને વિંદુ દારા સિંહ સહિત અનેક સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. આ પ્રાર્થના સભા દરમિયાન સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ વાયરલ વીડિયોને કારણે નેટીઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં સની દેઓલ વિંદુ દારા સિંહ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. પણ તે હસી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ સનીથી ખૂબ નારાજ થયા હતા અને ફિલ્મ નિર્માતાની શોકસભામાં હસવા બદલ તેમની ટીકા કરી હતી. એક નેટિઝન્સે લખ્યું હતું કે “આ ફ્યુનરલ છે કે પાર્ટી?” જ્યારે બીજાએ લખ્યું હતું કે, “બેશરમ, મૃત માણસના પુત્રની સામે આ રીતે હસવું.” એકે લખ્યું, “પ્રાર્થનામાં કોણ આટલું હસે છે?” બેશરમ. નેટિઝન્સ આ વીડિયો પર આવી ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

અહેવાલ મુજબ રાજકુમાર કોહલી શુક્રવારે સવારે નહાવા ગયા હતા. ઘણા સમયસુધી તેઓ બહાર નહી આવ્યાત્યારે તેમના પુત્ર અરમાને બાથરૂમનો દરવાજો તોડ્યોહતો. અંદર રાજકુમાર કોહલી જમીન પર બેહોશ હાલતમાં મળી આવ્યા હતા. તેમને તુરંત તબીબી સેવા આપવામાં આવી હતી, પણ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત