આપણું ગુજરાતનેશનલ

અયોધ્યામાં રામમંદિર પાસે બનશે વિશાળ યાત્રી ભવન, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

પીએમ મોદીના માર્ગદર્શનથી અયોધ્યામાં આકાર પામી રહેલા ભગવાન શ્રીરામના ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરાશે તેવી આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી અને રામલલાના દર્શન કરી ભવ્ય મંદિર નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉપરાંત તેમણે હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.

આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેને પગલે સમગ્ર અયોધ્યામાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે રામમંદિરની મુલાકાતે આવનાર દર્શનાર્થીઓ માટે સુવિધા ઉભી કરવાના હેતુથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…