મરણ નોંધ

જૈન મરણ

નરોડા, હાલ સાંતાક્રુઝ સ્વ. જીતેન્દ્રભાઈ રમણલાલ શાહ અરિહંતશરણ પામેલ છે. તે ડૉ. હેમંતભાઈ રમણલાલ શાહ અને વીણા હેમંતભાઈ શાહના ભાઈ અને મીનલ નિમેષ શાહ અને પ્રીતિ શાહના પિતા. તેમની પ્રાર્થનાસભા ૨૧-૧૧-૨૩ ના ૪ થી ૬. સ્થળ- એમ. એમ. પ્યુપિલ્સ ઓવન સ્કૂલ, ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં એસ.વી. રોડ,ખાર.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નૂતન ત્રંબૌના વાડીલાલ રતનશી બોવા (ઉં. વ. ૬૧) શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના દેહપરિવર્તન કરેલ છે. સ્વ. તેજાબેન વેરશી નરશીના સુપૌત્ર. સ્વ. લક્ષ્મીબેન અનશન વ્રતધારી રતનશીભાઇના સુપુત્ર. જયશ્રીબેનના પતિ. કૃણાલ, ઋષભના પિતા. નેહા, અંકિતાના સસરા. ત્રંબૌના સ્વ. પૂંજીબેન રતનશીના જમાઇ. ઠે. કુટીરોદ્યોગભવન, વિઠ્ઠલ મંદિરની સામે, થાણા (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
ચોટીલા, હાલ બોરીવલી સ્વ. સવિતાબેન અમૃતલાલ સુખલાલ શાહના પુત્ર પંકજભાઈ (ઉં. વ. ૬૨) તે મીનાબેનના પતિ. દીપેન – અ. સૌ. હિનલના પિતા. ચંદ્રકાન્ત, સ્વ. મહેન્દ્રભાઈ, સતીશ, દિનેશભાઇ, રેખાબેન, પ્રતિમાબેન, આરતીબેન તથા પૂર્વીના ભાઈ. સ્વ. ભગવાનદાસ માણેકલાલ શાહના જમાઈ. ૧૮/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના, સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર, હાલ વડાલા રમેશચંદ્ર શાંતિલાલ કોઠારીના ધર્મપત્ની ધ્રુવલતાબેન (ઉં. વ. ૭૬) તે ૧૯/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે બીજલ, કૈનેશ, દર્શનના માતુશ્રી. શીતલ, પિન્કીના સાસુ. માનીત તથા પરિનના દાદી. ચંદ્રકાન્તભાઈ, કિશોરભાઈ, સુશીલાબેનના ભાભી. પિયરપક્ષે માણેકલાલ હકીમચંદ સંઘવીના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૨૧/૧૧/૨૩ ના ૪ થી ૫.૩૦ કરસન લઘુ નિસર હોલ, જ્ઞાન મંદિર રોડ દાદર વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘુઘરાળા (દામનગર) હાલ બોરીવલી ચીમનલાલ નરસીદાસ સંઘવી (ઉં. વ. ૮૩) તા. ૧૯.૧૧.૨૦૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. જે સરોજબેનના પતિ. બીના વિપુલ ડગલી, સોની રૂપેશ શાહ, માધવી ચંદન કામદાર, વિશાલના પિતા. કાજલના સસરા. ધર્મિત ને ધિયાંશના દાદા. સ્વ. જયંતિલાલ, સ્વ. ધીરજલાલ, સ્વ. વિમળાબેન મનસુખલાલ શાહ, સ્વ. જ્યોતિબેન દિલીપભાઈ ઘેલાણીના ભાઈ. સ્વ. જમનાદાસ નાનચંદ કામદારના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
રામપરા, હાલ મીરારોડ સ્વ. વિજયાબેન મહાસુખલાલ શાહના સુપુત્ર કિશોરભાઈ (ઉં. વ. ૫૯) તે ૧૮/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. મહેશભાઈ, ભારતીબેન ભરતકુમાર શાહ, તથા હર્ષાબેન હસમુખલાલ ગોસલિયાના ભાઈ. અલ્કાબેનના પતિ. ઝીલ તથા મિલોનીના પિતા. સ્વ. ભાનુબેન માણેકલાલ શાહના જમાઈ. મહેન્દ્રભાઈ, હર્ષાબેન રમેશભાઈ ખંધાર તથા જયશ્રી યોગેશભાઈ દોશીના બનેવી ૯૫/૨૦૧, હેપ્પી હોમ ઇસ્ટેટ, પૂનમ સાગર કોમ્પ્લેક્સ મીરારોડ ઈસ્ટ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
છસરા હાલે થાણાના જયેશભાઇ ગંગર (ઉં. વ. ૬૦) તા. ૧૯-૧૧-૨૦૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી શાંતાબેન કુંવરજી ગંગરના સુપુત્ર. જયશ્રી, રાજેશ, વાસંતીના ભાઇ. બારોઇના નાનબાઇ શામજી કેનિયાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિવાસ : જયશ્રી દુર્ગેશ છેડા, બી-૧૨૦૪, કલીંગા, નીર્મલ નગર, લીંક રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઇ-૮૦.
બિદડાના ચુનીલાલ રવિલાલ સાવલા (ઉં. વ. ૭૯) તા. ૧૯-૧૧-૨૩, રવિવારના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી સુંદરબેન રવિલાલ પ્રેમજીના સુપુત્ર. કલ્યાણજી, જાધવજી, હેમચંદ, વૃજલાલ, મુલચંદ, ધીરજના ભાઇ. કાંડાગરાના માતુશ્રી પાનબાઇ વેલજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધીરજ રાયશી સાવલા, એ-૩૦૪, સેન્ડીફ્લામા, દોસ્તી ફ્લેમીંગો, ટી.જે. રોડ, શીવડી, મું. ૪૦૦૦૧૫.
ભુજપુરના નિર્મળા રમણીક દેઢીયા (ઉં. વ. ૭૬) ૧૭-૧૧ના અવસાન પામેલ છે. રમણીકના ધર્મપત્ની. શોભના, મનીષા, સ્વ. મીતાના માતુશ્રી. કુંદરોડીના પોપટલાલ ઠાકરશી પાસુની પુત્રી. સ્વ. નરશી છગનલાલ, લખમી, સાકરના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. પ્રવિણ શેઠીયા, જીતેન કીર્તી, સી વિંગ, ૨૦૮, દત્ત મંદિર રોડ, સંગીતા ટોકીઝની સામે. મલાડ (ઇસ્ટ). ૪૦૦૦૯૭.
દેશલપુર (કંઠી) ના સુંદરબેન મણીલાલ વિસરીયા (ઉં. વ. ૮૪) તા. ૧૭/૧૧ના અવસાન પામેલ છે. ભાણબાઈ ઘેલા દેવજીના પુત્રવધૂ. દિનેશ, મીના, મુકેશ, નેહા, વિજયના માતુશ્રી. ભુજપુરના પાનબાઈ હરશી કેશવના પુત્રી. ગણપત, કરમશી, સાકરબેન, મોટી ખાખરના લક્ષ્મીબેન મોનજી, પ્રાગપરના સોનબાઈ શામજી, કપાયાના દેવકાબેન શામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિનેશ વિસરીયા, ૨, ગડેલવાલા ચાલ, સંઘાણી એસ્ટેટ ઘાટકોપર, વે. મું. ૮૬.
સાડાઉના માતૃશ્રી ચંચળબેન વિશનજી માલદે (ઉં. વ. ૮૪) ૧૯-૧૧ના અવસાન પામેલ છે. તે સ્વ. ભારતીબેન નાનજી મુરજીના પુત્રવધૂ. વિશનજીના પત્ની. તલવાણાના સ્વ. માકબાઇ કરમશી આસુ દેઢીયાની સુપુત્રી. વિમળા, અરવિંદ, ભરત, લહેરચંદ, ભારતી, દિનાના માતૃશ્રી. રાયણના ગં.સ્વ. કસ્તુરબેન હરખચંદ, ઉત્તરસંડાના ગં.સ્વ. ભાનુબેન પુરૂષોત્તમના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : ૧૬ ઓમ વિજય લક્ષ્મી સોસાયટી, આયરે રોડ, ડોંબીવલી (ઇ.) ૪૨૧૨૦૧.
ગઢસીસાના ચંચળબેન હીરાલાલ શાહ (ગડા) (ઉં. વ. ૭૦) તા. ૧૮-૧૧-૨૦૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. પાનબાઈ કેશવજી વેલજીના પુત્રવધૂ. હીરાલાલના પત્ની. રોહિત, શિલ્પાના માતા. દેવપુર ઉમરબાઈ નરશી માલશી ગોસરના પુત્રી. ડો.મેઘજી, દામજી, જેઠાલાલ, ડો.પ્રેમજી (મંગલ) કાંતીલાલ, ઝવેરબેનના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના : મંગળવાર, તા.૨૧-૧૧-૨૦૨૩, યોગી સભાગૃહ, દાદર (સે.રે.), ટા. ૪ થી ૫.૩૦ નિ. રોહિત હિરાલાલ શાહ, ૧૨૭/૨૧, દ્વારકા ભવન, હિન્દુ કોલોની રોડ નં. ૫, દાદર (ઈ.), મું.-૧૪.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
સુંદરીયાણાના, હાલ અંધેરી સ્વ. પ્રેમચંદ નાગરદાસ ગોસળીઆના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૯૩), તે અતુલ – પ્રતિભા, રોહિત – અનુ, બકુલ – ભક્તિ, શીલા – જગત શાહના માતુશ્રી. સ્વ. રમણલાલ- સ્વ.સુશીલાબેન, સ્વ.શાંતિલાલ-સ્વ.લક્ષ્મીબેનના નાનાભાઈના પત્ની. આભા, અમી, નેહા, અવનિ, મીરા,નીલના દાદી-નાની. નંદરબાર નિવાસી સ્વ.શાંતાબેન સુખલાલ કુબેરદાસ કોઠારીના દીકરી અમેરિકા (ફિનીક્સ) મુકામે તા- ૧૬-૧૧-૨૦૨૩ ના અરિહંતશરણ પામેલ છે. દેહદાન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ, ગં. સ્વ. કોકીલાબેન સુરેશભાઈ દસાડીયા (ઉં. વ. ૮૨) તે સ્વ. સુરેશભાઈ હીરાલાલ દસાડીયાના ધર્મપત્ની. હિતેશ અને બીનાના માતુશ્રી. મોના અને જયેશ શાંતિલાલ મેમાયાના સાસુ. મૌનીલ અને વૈભવી પંકજકુમારના દાદી. પિયર પક્ષે જયંતીલાલ હરગોવનદાસ દોશીની સુપુત્રી, રવિવાર તા. ૧૯/૧૧/૨૦૨૩ ના અરિહંત શરણ પામ્યા છે. વર્માનગર, બિલ્ડીંગ નંબર ૬, ફ્લેટ નંબર ૧૨, પહેલે માળે, જુના નાગરદાસ રોડ, અંધેરી ઈસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી, હાલ ઘાટકોપર સ્વ. કાન્તીલાલ હરિલાલ દોશીના ધર્મપત્ની ઈન્દીરાબેન, (ઉં. વ. ૮૨) તે શ્રેણિકના માતુશ્રી. સ્વ. ભોગીભાઈ, ચંદ્રકાન્તભાઈ, કનકભાઈ, અનિલભાઈ, સ્વ. હેમલતાબેન, સ્વ. પુષ્પાબેન, સૌ. વાસંતીબેન, સૌ. અનસૂયાબેનના ભાભી. બુકોબા આફ્રિકા નિવાસી સ્વ. ધીરજલાલ કોઠારીના પુત્રી. સ્વ. બાબુભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. રમેશભાઈ, સુરેશભાઈ, સ્વ. ગુણવંતીબેન, પ્રમિલાબેન, સ્વ. ગીતાબેનના બેન, તા. ૧૯-૧૧-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા સ્થાનકવાસી જૈન
પાળીયાદ-મુંબઇ હાલ સુરેન્દ્રનગર લલિતાબેન વ્રજલાલ જોબાલીયાના સુપુત્ર મહાસુખભાઇ (ઉં. વ. ૮૫) તા. ૧૬-૧૧-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે રસીલાબેન (રંજનબેન)ના પતિ. તે સ્વ. નગીનભાઇ, જશવંતભાઇ, સ્વ. હસમુખભાઇ, અરવિંદભાઇ, સ્વ. કુંદનબેન, સ્વ. વિમળાબેન, સ્વ.ચંદ્રીકાબેન, ઇલાબેનના ભાઇ. તે ભરતભાઇ, રાકેશ, હેમલ, સૌરભના કાકા. તે સંસાર પક્ષે ગૌતમ ગઢ નિવાસી હાલ મુંબઇ, સ્વ. મનસુખભાઇ પોપટલાલ વોરા, સ્વ. શાંતિભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. વાડીલાલ, સ્વ.લિલીબેનના બનેવી.લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર, હાલ દાદર સ્વ. હીરાલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. ધનલક્ષ્મીબેન (ઉં.વ. ૭૮) તે કમલેશભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ તથા સૌ. બીના પંકજકુમાર મહેતાના માતુશ્રી. સૌ. ભાવિનીબેન, સૌ. ધ્વનિબેન તથા સૌ. દીપાબેનના સાસુ. સૌ. બેલા નિધિશ શાહ, સૌમ્ય તથા રિયા, જય તથા મનનના દાદી-નાની. તે શાંતિભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ. દમયંતીબેન તથા હંસાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. પ્રભાબેન ધીરજલાલ પ્રભુદાસ દોશીની સુપુત્રી તા. ૧૯-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત