ઇન્ટરનેશનલ

માલદીવમાં ચીન તરફી રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં ભારતે કિરેન રિજિજુને મોકલ્યા

જાણો કારણ

માલેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી ન હતી. ભારતે તેમના સ્થાને પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુને અરુણાચલ પ્રદેશથી માલદીવ મોકલ્યા. મુઈઝુના ચૂંટણી પ્રચાર અને ચૂંટણી જીત્યા બાદ તેમણે જે પ્રકારના નિવેદનો કર્યા હતા તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમને ભારતપ્રત્યે ખાસ માન નથી. તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો.

મુઈઝુએ દરેક ચૂંટણી રેલી દરમિયાન માલદીવમાંથી ભારતીય સૈનિકોને પરત મોકલવાનું વચન આપ્યું હતું. મુઈઝુના આ નિવેદનોને કારણે તેમની છબી ભારત વિરોધી અને ચીન તરફી બની ગઈ છે, પરંતુ, કિરેન રિજિજુની તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે, જ્યારે પીએમ મોદીની કેબિનેટમાં ઘણા વરિષ્ઠ મંત્રીઓ છે જેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી શક્યા હોત.

મુઈઝુએ 17 નવેમ્બરે માલદીવના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વના 46 દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા હતા. આમાં પાડોશી દેશ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ સામેલ હતા. 2018 માં, જ્યારે ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા, ત્યારે પીએમ મોદી તેમના શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે માલદીવ પહોંચ્યા હતા, પણ મુઇઝુના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીની ગેરહાજરી અને તેમના સ્થાને ઘણા જુનિયર મંત્રી કિરેન રિજિજુને મોકલવાને માલદીવ માટે સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહી છે. PM મોદીએ G-20 કોન્ફરન્સ મીટિંગ અને ગ્લોબલ સાઉથ સમિટના આયોજનને કારણે તેમના વ્યસ્ત શેડ્યૂલને ટાંકીને મુઇઝુના શપથ ગ્રહણને ટાળ્યું હતું.


LAC પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના મડાગાંઠ વચ્ચે રિજિજુને મોકલી ભારત સંદેશ આપવા માગે છે. ચીન અરુણાચલ પ્રદેશના સમગ્ર રાજ્ય પર દાવો કરે છે, જે દક્ષિણ તિબેટનો એક ભાગ છે અને તેને ‘ઝાંગનાન’ કહે છે. અરુણાચલ પર ચીનના પાયાવિહોણા દાવાઓ દલાઈ લામા સાથે જોડાયેલા છે, જેઓ 1950 ના દાયકાના અંતમાં અરુણાચલના તવાંગ જિલ્લામાંથી તિબેટથી ભારતમાં પ્રવેશ્યા હતા જેથી ચીની સત્તાવાળાઓના દમનથી બચી શકાય. એપ્રિલ 2023 માં, ચીને એકપક્ષીય કાર્યવાહી કરી અને અરુણાચલ પ્રદેશના 11 વિસ્તારો માટે નવા ‘કાલ્પનિક’ નામોની જાહેરાત કરી, જે તમામ ભારતના ભૌતિક નિયંત્રણ હેઠળ હતા.


મુઇઝુ તેમના પુરોગામી ઈબ્રાહિમ સોલિહથી અલગ રીતે ભારત સાથે સંબંધો આગળ વધારવાની તૈયારી કરી રહ્યા છે. મુઈઝૂને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની નજીક માનવામાં આવે છે, જેમના શાસન દરમિયાન માલદીવ અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા હતા. મુઈઝુને ચીન તરફી પણ માનવામાં આવે છે, પરંતુ તેમના નજીકના લોકો કહે છે કે તેમની વિદેશ નીતિમાં ચીન પ્રત્યે કોઈ પક્ષપાત રહેશે નહીં. તેઓ માલદીવની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું સન્માન કરતા તમામ દેશો સાથે સારા અને મજબૂત સંબંધો જાળવી રાખશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ