નેશનલ

જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ થશે

વારાણસી: અહીંના જ્ઞાનવાપી પરિસરમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એઆઈએસ)ના સર્વેનું કામ આજે પૂર્ણ થશે. શુક્રવારે એએસઆઈ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. એએસઆઈએ કલેક્ટર કચેરીની તિજોરીમાં સંકુલની અંદરથી મળેલા ૨૫૦ થી વધુ અવશેષો સુરક્ષિત રાખ્યા છે. એએસઆઈ આજે અન્ય કેટલાક પુરાવાઓ સાચવવા માટે મોકલશે.

કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ૨૧મી જુલાઈના રોજ વારાણસીના જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્ર્વેશની કોર્ટે એએસઆઈને જ્ઞાનવાપીના સીલ કરાયેલ વેરહાઉસ સિવાય બાકીના પરિસરમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. એએસઆઈએ ૨૪ જુલાઈથી જ્ઞાનવાપીમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સર્વે બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે મંજુરી આપી હતી.

એએસઆઈની ટીમે જીપીઆર અને અન્ય ટેક્નિક દ્વારા જ્ઞાનવાપી સંકુલનો સર્વે કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા પુરાવા મળ્યા હતા. જ્ઞાનવાપી પરિસર અને ભોંયરાઓનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં હૈદરાબાદની વિશેષ ટીમ અને કાનપુરના નિષ્ણાતો પણ સર્વેમાં સામેલ થયા હતા. એએસઆઈના એડિશનલ ડાયરેક્ટર આવતીકાલે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ