આમચી મુંબઈ
શ્રી હરિદાસજી મહારાજની પદયાત્રા પહોંચી ઐરોલી
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/c-20.jpg)
ગુરુવર શ્રી હરિદાસજી મહારાજની પદયાત્રાનો ૧૨૭મો દિવસ હતો. આ પદયાત્રા હરિદ્વારથી શરૂ થઈ છે અને ક્ધયાકુમારી ખાતે સમાપ્ત થશે.આજે માનપાડા થાણેથી સવારે ૩.૪૫ કલાકે શરૂ થઈને સવારે ૯.૩૦ કલાકે ઐરોલી વાશી પહોંચી હતી. પદયાત્રામાં મારી સાથે ૧૫૦૦ થી ૨૦૦૦ ભક્તો હતા. આ પ્રસંગે કનૈયાભાઈ કટારીયા, ભાવેશ ભાનુશાલી, નરશીભાઈ ભાનુશાલી, જીગનેશ પટેલ, દામજી ભાનુશાલી, કમલેશ દામા હાજર રહ્યા હતા.