નેશનલ

યમુનોત્રી નિર્માણાધીન ટનલ ધસી પડી: પચીસથી વધુ કામદારો ફસાયા હોવાની આશંકા

બચાવ કામગીરી: ઉત્તરકાશીમાં બ્રહ્મકાલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર પર સિલ્કયારા અને ડંડલગાંવની વચ્ચે બંધાઇ રહેલા બોગદાના તૂટી પડેલા ભાગના સ્થળે ચાલતી બચાવ કામગીરી. આ ટનલમાં અંદાજે ૪૦ જણ ફસાઇ ગયા હતા. (પીટીઆઇ)

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલ ધસી પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ટનલની અંદર પચીસથી વધુ મજૂરો ફસાયેલા હોવાની આશંકા છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરકાશીએ આ વાતની પુષ્ટિ કરી છે. ક્ધસ્ટ્રકશન કંપની દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. ઘટનાસ્થળે પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ મૃત્યુની જાણ નથી. પોલીસ ફોર્સની સાથે અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવારે સવારે ૫:૦૦ વાગ્યે થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી ૨૦૦ મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનના પ્રવેશદ્વારની અંદર ૨૮૦૦ મીટર અંદર હતા.
ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી ટનલની લંબાઈ ૪.૫ કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર ૨૦૨૩ હતો, પરંતુ હવે તેને માર્ચ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?