મરણ નોંધ

જૈન મરણ

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
વાંકાનેર, હાલ ઘાટકોપર સ્વ. અશોકકુમાર વ્રજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. સરલાબેન (ઉં. વ. ૮૦) તે નિર્મલભાઈ, દર્શનભાઈ અને અ.સૌ. ચેતનાબેનના માતુશ્રી. તે હર્ષદકુમાર, અ. સૌ. આશાબેન અને અ. સૌ. અવનીના સાસુ, તે ભાવિક, જીતેન અને પલકના દાદી. તે સ્વ.નિરંજનાબેન વિનોદરાય, વર્ષાબેન પ્રદીપભાઈ, હર્ષાબેન હસમુખભાઈ, સ્વ. વિનોદીનીબેન હસમુખરાયના ભાભી. તે પિયરપક્ષે તે ટિકર રણ નિવાસી સ્વ દિપચંદ કલ્યાણજી મેહતાની દિકરી તા. ૦૯/૧૧/૨૩ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવાહર બંધ રાખેલ છે. ૫૦૫/૫૦૬, કાવેરી, નીલકંઠ વેલી ગેટ ૧, સોમૈયા કોલજ ની બાજુમાં, રાજવાડી કોલોની, રોડ ૭, ઘાટકોપર(ઈસ્ટ).
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
હાલ અલંગ નિવાસી સ્વ બાબુલાલ પ્રેમચંદ શાહના પુત્ર ચંદુલાલ તા. ૯/૧૧/૨૩ ને બુધવાર ના અવસાન પામેલ છે. તે સ્વ ચીમનભાઈ, હર્ષદભાઈ, મહિપત, સરોજબેન ચીમનલાલ મહેતા, મંછાબેન ચંપકલાલ ગાંધી, કલ્પિતા હરેશ મહેતા, નીલમ નિલેશ કુમાર શાહ, ભાવના પંકજકુમાર મણિયારના ભાઈ, પાયલ, રિચા, ભાવિન, ભૌમિકના કાકા. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બરવાળા ઘેલાશા, હાલ ઘાટકોપર, સ્વ. કંચનબેન ધનજીભાઈ બાવીશીના પુત્ર રમેશ (ઉં. વ. ૭૭), અમેરિકામાં તા. ૧-૧૧-૨૦૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે લખતર નિવાસી સ્વ. કમળાબેન ગીરધરલાલ શેઠના જમાઈ. અંજુના પતિ. જતીન-મિલનના પિતા. જીગ્ના-કવિતાના સસરા, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. શશીકાન્ત, સ્વ. દિલીપ, સ્વ.ચંદ્રવદન, પ્રવીણ, જીતેન્દ્ર, પ્રદીપ, સ્વ. નલીનીબેન પ્રતાપરાય વોરાના ભાઈ. સાદડી તથા લોકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બારોઇના ચંદ્રકાંત કેનીયા (ઉં. વ. ૭૦) ૯-૧૧ના અવસાન પામેલ છે. માતા લક્ષ્મીબેન ખીમજી જાદવજી પટેલના પુત્ર. જયાના પતિ. કશીષ, ચિરાગના પિતા. કાંતીલાલ, જયંત, દિવ્યા, નવિનના ભાઇ. દેશલપુર લક્ષ્મીબેન રામજી વરજાંગના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચિરાગ કેનીયા, ૩૦૧, ફ્લોરા એપાર્ટમેન્ટ, એસ.એન.રોડ, મુલુંડ (વે.).
છસરાના શ્રી લક્ષ્મીચંદ લાલજી ગાલા (ઉં. વ. ૭૩) તા. ૮-૧૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી નેણબાઇ લાલજી ઉમરશીના પુત્ર. નીલમબેનના પતિ. હીના, સંગીતા, કેકીન, વિપુલના પિતા. મણીલાલ, પોપટલાલ, ભવાનજી, મેઘજી (જખુ), સરલાના ભાઇ. ભુજપુરના રતનબેન પ્રેમજીના જમાઇ. પ્રા. શ્રી માટુંગા ક.મુ.શ્ર્વે.જૈન સંઘની શ્રી નારાયણજી શામજી વાડી, પહેલા માળે, ભાઉદાજી રોડ, માટુંગા (સે.રે.), ટા. સાંજે ૪ થી ૫.૩૦. નિ. વિપુલ ગાલા, ડી-૬૦૪, અપેક્ષ ટાવર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
પ્રાગપુર (હાલે પુના)ના લાલજી લખમશી દેઢીયા (ઉં. વ. ૭૯) ૭-૧૧ના અવસાન પામ્યા છે. વેલબાઇ લખમશી રાઘવજીના પુત્ર. પ્રભાબેનના પતિ. ચિરાગ, ડો. અલ્પા, સ્વ. શિલ્પાના પિતાશ્રી. હરસી, કરમશી, હંસરાજ, માવજી, ધારશી, કાંડાગરાના પ્રભાબેન ચુનીલાલ કરમશીના ભાઇ. સાડાઉ પુષ્પાબેન દેવજી વીરજી સંગોઇના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચિરાગ દેઢીયા, બી/૨, કેસલ રોયલ, ભોંસલે નગર, પુના-૨૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હાથસણી હાલ મુલુંડ જયંતીલાલ ઝવેરચંદ દોશી (ઉં. વ ૭૬) તે ઉર્મિલાબેનના પતિ. શૈલા, કલ્પેશના પિતા. પૂર્વીબેન અને શાલીભદ્રના સસરા. રીયાના દાદા. પ્રીયલના નાના. સ્વ. શાંતિભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, હસમુખભાઇ, વિનોદભાઇ, પ્રકાશભાઇ, સ્વ. અશોકભાઇ, કળાબેન નટવરલલ દોશી અને સદગુણાબેન સૂર્યકાન્ત શાહના મોટા ભાઇ. શ્ર્વસુર પક્ષે સુરતવાળા સ્વ. શાંતિલાલ ઘેલાભાઇ શાહના જમાઇ તા. ૯-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત