આમચી મુંબઈ

રાયગઢમાં ફાર્મા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ચારના મોત, પાંચ લાપતા

મુંબઇઃ મહારાષ્ટ્રના રાયગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મહાડ MIDCમાં ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આગ અને ધુમાડાના ગોટેગોટાથી ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જ્યારે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, તે સમયે તેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.આ અકસ્માતમાં ગુમ થયેલા સાત લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, એવી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના એક અધિકારીએ શનિવારે જાણકારી આપી હતી.

શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ રાયગઢના મહાડ MIDC વિસ્તારમાં આવેલી બ્લુ જેટ હેલ્થકેર કંપનીમાં આગ લાગી હતી અને ત્યારબાદ ફેક્ટરી પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર એન્જિન અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

રેસક્યુ ઑપરેશનમાં પાંચ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ ઘાયલોમાંથી બેની હાલત સ્થિર છે અને અન્ય ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. NDRFના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આજે સવારે 7 વાગ્યા સુધીમાં ગુમ થયેલા 11 લોકોમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ગુમ થયેલા અન્ય સાત લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આ પછી આગને કારણે રંગો ભરેલા બેરલમાં વિસ્ફોટ થયો હતો. હાલ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ફાર્માસ્યુટિકલ ફેક્ટરી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…