આમચી મુંબઈ

કાયદાકીય પ્રતિબંધ વિના બાળકને લઈ જવા માટે ‘જૈવિક’પિતા સામે અપહરણનો ગુનો નોંધી શકાય નહીં: હાઇ કોર્ટ

મુંબઈ: કાયદાકીય પ્રતિબંધ વગર તેના બાળકનું અપહરણ કરવાના આરોપમાં જૈવિક (બાયોલોજિકલ) પિતા પર કેસ કરી શકાતો નથી, બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ૩૫ વર્ષીય વ્યક્તિ સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરીને ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ વિનય જોશી અને વાલ્મિકી એસએ મેનેઝીસની ડિવિઝન બેન્ચે ૬ ઑક્ટોબરના તેના આદેશમાં નોંધ્યું હતું કે ‘ગાર્ડિયનની વ્યાખ્યા ’ એવી કોઈપણ વ્યક્તિનો સમાવેશ કરે છે જે સગીરની સંભાળ રાખતો હોય. કોઈપણ કોર્ટના પ્રતિબંધક આદેશ વગર પિતા પણ માતાની સાથે કાયદેસરના વાલી હતા અને તેથી તેમની સામે માતાની કસ્ટડીમાંથી પોતાના સગીર બાળકના અપહરણના ગુના માટેનો કેસ નોંધી શકાય નહીં. આ આદેશ ગુરુવારે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ખંડપીઠે ૨૯ માર્ચ, ૨૦૨૩ના રોજ તેમના ત્રણ વર્ષના પુત્રનું કથિત રીતે અપહરણ કરવા બદલ અમરાવતી પોલીસમાં તેની વિખૂટા પડી ગયેલી પત્નીની ફરિયાદના આધારે નોંધાયેલ એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલ) રદ કરી, નોંધ્યું કે આવી કાર્યવાહી ચાલુ રાખવાથી કોર્ટની પ્રક્રિયાના દુરુપયોગ થશે.

કોર્ટે હિંદુ લઘુમતી અને ગાર્ડિયનશિપ એક્ટ હેઠળ સગીરના કુદરતી વાલીની વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હિંદુ સગીર માટે પિતા કુદરતી વાલી છે અને તેના પછી માતા છે. કોર્ટના આદેશ દ્વારા (બાળકની) માતાને કાયદેસર રીતે સગીરની સંભાળ અથવા કસ્ટડી સોંપવામાં આવી હતી. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…