નેશનલ

‘જો દેશમાં વાઘ અને હાથીની ગણતરી થઇ શકે છે તો જાતી આધારિત વસ્તી ગણતરી કેમ નહીં?’…

પી ચિદંબરમનો મોદી સરકારને સવાલ

રાયપૂર: પૂર્વ કેન્દ્રિય અર્થ પ્રધાન અને કોંગ્રેસના નેતા પી. ચિદબંરે જાતી આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ફરી એકવાર ઊભો કર્યો છે. cast census એટલે કે જાતી આધારિત વસ્તી ગણતરી થવી જોઇએ કારણ કે તેને કારણે સમાજની વિવિધ જાતી માટે વિશેષ ક્વોટા નક્કી કરવામાં મદદ મળી શકે છે. રાયપૂરમાં યોજાયેલા કોંગ્રેસના એક કાર્યક્રમમાં પી. ચિદંબરમે આ વાત કહી હતી.

આપડાં દેશમાં કેટલાં વાઘ છે? આપડાં દેશમાં કેટલાં હાથી છે? તેમની જો ગણતરી થઇ શકે છે તો જાતી આધારિત વસ્તી ગણતરી કેમ થઇ શકતી નથી? દેશને એ વાતની જાણ હોવી જોઇએ કે આપડાં દેશમાં કેટલાં લોકો અનુસૂચિત જાતીના છે? કેટલાં લોકો અનુસૂચિત જનજાતીના છે? કટેલાંક લોકો ઓબીલી છે? આ તમામ વાતો ત્યારે શક્ય બનશે જ્યારે જાતી આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. જો જાતી આધારિત વસ્તી ગણતરી નહીં થાય તો આ સરકાર કયાં આધાર પર અનામત આપવાની છે? એવો પ્રશ્ન પણ ચિદબંરમે પૂછ્યો હતો.


ચિદંબરમે વધુમાં કહ્યું કે, જે લોકો આર્થિક પછાત છે તેમને 10 ટકા અનામત આપવાનું હશે તો પણ જાતી આધારિત વસ્તી ગણતરી અનિવાર્ય છે. આપડો દેશ વાઘ કેટલાંક છે અને હાથી કેટલાં છે તેની ગણતરી કરી શકે છે. ત્યારે આ સરકાર જાતી આધારિત વસ્તી ગણતરી કેમ કરી નથી શકતી? જો એમ કરવામાં આવે તો અનામત અંગેનો માર્ગ સરળ બનશે. તેથી આપડે બધાએ જાતી આધારિત વસ્તી ગણતરીની તરફેણમાં અવાજ ઉપાડવો જોઇએ. અને તે વહેલી તકે થવી જોઇએ એવી માંગણી પણ સરકાર પાસે કરવી જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી