ઇરાનનું મોટું નિવેદન, ઇરાની સેના અમેરિકાને જવાબ આપવા રણનીતિ નક્કી કરશે

તહેરાન: અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલાથી ઈરાન ભડકયું છે. તેમજ અમેરિકાને બદલો લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે ઈરાને હવે મોટું નિવેદન આપ્યું છે. જેમાં ઇરાને કહ્યું છે અમેરિકાને હુમલો કરીને રાજદ્વારી વાતચીતનો રસ્તો બંધ કર્યો છે. તેથી હવે ઇરાનની સેના અમેરિકાને જવાબ આપવા માટે સમય,સ્થળ અને તીવ્રતા નક્કી કરશે.
હવે ઈરાની સેના નક્કી કરશે કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી
ઈરાનના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રવિવારે એક કટોકટી બેઠકમાં ઈરાનના યુએન રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ જણાવ્યું હતું કે અમેરિકાએ તેના ત્રણ પરમાણુ સ્થાનો પર હુમલો કર્યા પછી, ઈરાને અમેરિકાને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરીને રાજદ્વારી વાતચીત બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેથી હવે ઈરાની સેના પ્રતિભાવનો સમય, પ્રકૃતિ અને સ્કેલ નક્કી કરશે. અમે જરૂરી પગલાં લઈશું.
અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ અને ઘોર ઉલ્લંઘન કર્યું
ઈરાવાનીએ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર આરોપ મૂક્યો કે તેઓ અમેરિકનાની વિદેશ નીતિને હાઇજેક કરવામાં સફળ થયા છે. તેમણે અમેરિકાને બીજા ખર્ચાળ અને અર્થહીન યુદ્ધમાં ફસાવી દીધા છે. તેમણે ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલી આક્રમણને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ અને ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે.
ઈરાને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવું જોઈએ
ઈરાવાનીએ કહ્યું કે ઈરાનના વિદેશ પ્રધાને ગત અઠવાડિયે ઘણા યુરોપિયન પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. પશ્ચિમી દેશોના દૃષ્ટિકોણથી ઈરાને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવું જોઈએ. પરંતુ જેમ ઈરાનના વિદેશ પ્રધાને નોંધ્યું કે ઈરાન એવી વસ્તુ તરફ કેવી રીતે પાછું ફરી શકે છે જે તેણે ક્યારેય છોડી નથી.
આ પણ વાંચો…ઈરાન ઈઝરાયલ યુદ્ધ તીવ્ર બન્યું, અમેરિકા મિડલ ઈસ્ટમાંથી તેના નાગરિકોને બહાર કાઢશે