સ્પોર્ટસ

સાઇ સુદર્શન ડેબ્યૂ ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ થનાર ભારતનો પ્રથમ વનડાઉન બૅટ્સમૅન…

લીડ્સઃ ટેસ્ટ-ક્રિકેટ રમવાનું બૅટ્સમૅન સાઇ સુદર્શન (SAI SUDARSHAN)નું વર્ષોનું સપનું હતું જે શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ (England) સામેની પ્રથમ ટેસ્ટ સાથે પરિપૂર્ણ થયું અને તેણે ગૌરવપૂર્ણ ટેસ્ટ કૅપ પીઢ ક્રિકેટર અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા ચેતેશ્વર પુજારાના હસ્તે મેળવી હતી, પરંતુ સુદર્શન માટે આ ડેબ્યૂ નિરાશાજનક રહ્યું. ભારતનો બૅટ્સમૅન ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા બાદ ત્રીજા નંબર (one down)પરની બૅટિંગમાં શૂન્યમાં આઉટ થયો એવું ભારતના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વખત બન્યું છે.

તેણે ડોમેસ્ટિક ક્રિકેટના પ્રશંસનીય પર્ફોર્મન્સ બાદ તાજેતરની આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ વતી 15 મૅચમાં 759 રન કર્યા હતા એને આધારે તેને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો છે. તે પોતાના ચોથા જ બૉલમાં હરીફ ટીમના સુકાની બેન સ્ટૉક્સને વિકેટ આપી બેઠો હતો. વિકેટકીપર જૅમી સ્મિથે તેનો કૅચ ઝીલ્યો હતો.

સ્ટૉક્સના લેગ-સ્ટમ્પ પરના બૉલને સુદર્શન ફ્લિક કરવા ગયો હતો, પણ તેનું ટાઇમિંગ સારું નહોતું જેને કારણે બૉલ તેના બૅટની ધારને લાગ્યા બાદ વિકેટકીપર તરફ ગઈ હતી જેણે કૅચ ઝીલવામાં કોઈ જ ભૂલ નહોતી કરી. સુદર્શન ભારતનો 317મો ટેસ્ટ-ક્રિકેટર બન્યો છે. જોકે તેના માટે શરૂઆત સારી નથી રહી. ડેબ્યૂ ઇનિંગ્સમાં ભારતનો ટૉપ-થ્રીમાં બૅટિંગ કરનાર બૅટ્સમૅન ઝીરો (ZERO)માં આઉટ થયો હોય એવું ત્રીજી વખત બન્યું છે. ક્રિષ્નામાચારી શ્રીકાંત (1981માં) અને દેવાંગ ગાંધી (1999માં) ટેસ્ટની ઓપનિંગ ઇનિંગ્સમાં ઓપનિંગમાં શૂન્યમાં આઉટ થયા હતા. એકંદરે, સુદર્શન ડેબ્યૂ ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ થનાર ભારતનો 29મો પ્લેયર છે.

ડેબ્યૂ ટેસ્ટના દાવમાં શૂન્ય પર આઉટ થનાર ભારતીયો

1ચંદુ સરવટે1946
2જેની ઇરાની1947
3એસ. એ. બૅનર્જી1948
4ગુલામ અહમદ1948
5સુભાષ ગુપ્તે1951
6ગુલાબરાય રામચંદ1952
7જસુભાઈ પટેલ1955
8મનોહર હાર્ડિકર1958
9વેન્કટપ્પા મુથૈયા1959
10મનમોહન સૂદ1960
11ભાગવત ચંદ્રશેખર1964
12ઉમેશ કુલકર્ણી1967
13એકનાથ સોલકર1969
14ગુંડપ્પા વિશ્વનાથ1969
15ધીરજ પરસાણા1979
16કૃષ્ણમાચારી શ્રીકાંત1981
17મનિન્દર સિંહ1982
18રાશીદ પટેલ1988
19વિવેક રાઝદાન1989
20એબી કુરુવિલા1997
21વિજય ભારદ્વાજ1999
22દેવાંગ ગાંધી1999
23રૉબિન સિંહ1999
24અજય રાત્રા2002
25પાર્થિવ પટેલ2002
26વૃદ્ધિમાન સાહા2010
27આર. અશ્વિન2011
28ઉમેશ યાદવ2011
29સાઇ સુદર્શન2025

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button