નેશનલ

શુભાંશુ શુક્લાને સ્પેશ સ્ટેશન પર લઈ જનારા AXIOM-4 મિશનને નાસાએ ફરી મુલતવી રાખ્યું

નવી દિલ્હી : ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જનારું AXIOM-4 મિશન ફરી મુલતવી રાખવામાં આવ્યું છે. નાસાના આ મિશનમાં ચાર સભ્યો સામેલ છે. આ મિશન માટે 29 મેની તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ નાસા વિવિધ કારણોસર તેને મુલતવી રાખી રહ્યું છે. હવે આ મિશનના લોન્ચ માટે 22 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે તે પણ મુલતવી રાખવામાં આવી છે. જોકે, નાસા દ્વારા આગામી તારીખ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. મિશન માટે યોગ્ય પરિસ્થિતિઓ બન્યા પછી તેને લોન્ચ કરવામાં આવશે.

AXIOM-4 મિશનને મુલતવી રાખવાનો નિર્ણય

આ અંગે એક્સિઓમ સ્પેસે જણાવ્યું હતું કે નાસાએ રવિવાર 22 જૂનના રોજ AXIOM-4 મિશનને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મિશનની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર કામગીરીનું મૂલ્યાંકન ચાલુ રાખવા માટે તેને થોડો વધુ સમયની જરૂર છે.

નાસા ડેટાની સમીક્ષા કરવા માટે સમય કાઢી રહ્યું છે

હાલમાં ઓર્બિટલ લેબના જ્વેઝદા સર્વિસ મોડ્યુલના પાછળના ભાગ પર સમારકામનું કામ કરવામાં આવ્યું હતું. અવકાશ મથકની જટિલ અને પરસ્પર નિર્ભર સિસ્ટમોને જોતાં નાસા ડેટાની સમીક્ષા કરવા માટે સમય કાઢી રહ્યું છે. નાસા ખાતરી કરવા માંગે છે કે અવકાશ મથકની સિસ્ટમો વધારાના ક્રૂ સભ્યોને ટેકો આપવા માટે તૈયાર છે કે નહિ.

નાસાનું AXIOM-4 મિશન છઠ્ઠી વખત મુલતવી રાખવામાં આવ્યું

આ છઠ્ઠી વખત છે જ્યારે મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશન મૂળ 29 મેના રોજ લોન્ચ થવાનું હતું, પરંતુ પછીથી તેને 8 જૂન, પછી 10 જૂન, 11 જૂન, 19 જૂન અને પછી 22 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું. હવે તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે. આ અગાઉના વિલંબ વિવિધ કારણોસર હતા. જેમાં ફાલ્કન 9 રોકેટની તૈયારીમાં વિલંબ, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, પ્રવાહી ઓક્સિજનનું લીકેજ અને સ્પેસ સ્ટેશનના સર્વિસ મોડ્યુલમાં ટેકનિકલ ખામીનો સમાવેશ થાય છે.

ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે સ્પેશ સ્ટેશન જશે

એક્સિઓમ મિશન 4 માં ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે અવકાશ મથકે જઈ રહ્યા છે. શુભાંશુ ISSની મુલાકાત લેનારા પ્રથમ અને અવકાશમાં જનારા બીજા ભારતીય હશે. આ પહેલાં રાકેશ શર્મા 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button