ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇઝરાયલ ઈરાન યુદ્ધ વધુ તીવ્ર બન્યું, ઇરાને ગુપ્તચર વિભાગના નવા વડાની નિયુક્તિ કરી

તહેરાન: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને જીવવાનો કોઈ અધિકાર નથી. ત્યારે ઈરાન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે હવે ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને પણ બહાર કાઢવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ઈરાને નવા ગુપ્તચર વિભાગના નવા વડાની નિયુક્તિ કરી લીધી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ ના કમાન્ડર મેજર જનરલ મોહમ્મદ પાકપોરે બ્રિગેડિયર જનરલ માજિદ ખાદામીને ગુપ્તચર વિભાગના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે.

આ ઉપરાંત ગુરુવારે મોડી રાત્રે ઈરાનના તેહરાનમાં એક સાથે અનેક વિસ્ફોટ થયા છે. જેના કારણે ત્યાં સાયરન વાગી હતી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.ઈઝરાયલ ઈરાનમાં સતત ઘણા સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. જોકે, ઈરાન પણ સતત મિસાઇલો પર નિર્ભર છે. તેમજ તે ઇઝરાયેલ પર લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરી રહ્યું છે. જે ઇઝરાયલના શહેરોને નિશાન બનાવી રહ્યું છે.

ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે ખતરો

ઈઝરાયલ કહે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેના અસ્તિત્વ માટે ખતરો છે. 13 જૂને જ્યારે તેણે ઈરાન પર હુમલો કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ ઈસ્લામિક દેશ પરમાણુ શસ્ત્રો બનાવવાથી માત્ર એક ડગલું દૂર છે. ઈઝરાયલ સ્પષ્ટપણે કહે છે કે તે ઈરાનને એવા પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે.
જો અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ યુદ્ધમાં સામેલ થાય છે.તો ચોક્કસપણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી

આ ઉપરાંત મળતી માહિતી મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન પર હુમલો કરવા માંગતા નથી. પરંતુ જો ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે આવું કરવું જરૂરી બને તો તેઓ કાર્યવાહી કરવા તૈયાર છે.

ખામેનીએ કહ્યું છે કે ઈરાન શરણાગતિ નહિ સ્વીકારે

અમેરિકાએ કહ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડશે, પરંતુ ખામેનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાની દખલગીરી સહન કરશે નહીં. ખામેનીએ કહ્યું છે કે ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં.

આ પણ વાંચો…ઈરાને ઇઝરાયેલની હોસ્પિટલ અને સ્ટોક એક્ષચેન્જ પર હુમલો કર્યો! ઇઝરાયલે ખામેનીની હત્યાની ચેતવણી આપી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button