મોબાઈલ યુઝર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, હવે આ કામ નહીં કરો તો…

ભારત સરકાર દ્વારા ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં ટ્રાન્સપરન્સી અને સિક્યોરિટીને ધ્યાનમાં લઈને એક મહત્ત્વનું પગલું લીધું છે. સરકાર મોબાઈલ નંબર અને બિઝનેસ કોલ્સ માટે કેવાયસી (KYC)ની ફ્લેક્સિબિલિટીને સમાપ્ત કરતાં એને ફરજિયાત બનાવી દીધું છે. આ નવા નિયમ હેઠળ હવે તમામ મોબાઈલ યુઝર્સને પોતાની ઓળખ અને એડ્રસનું પ્રૂફ આપીને કેવાયસીની પ્રોસેસ પૂરી કરવી પડશે.
અત્યાર સુધી પ્રીપેડ યુઝર્સને કેવાયસી પ્રક્રિયામાં કેટલીક છૂટ આપવામાં આવી હતી, પરંતુ સરકારે આ છૂટને પાછી ખેંચી લીધી છે. હવે નવા નિયમ અનુસાર પ્રીપેડ કનેક્શન હોય કે પોસ્ટપેડ તમામ યુઝર્સ માટે કેવાયસી કરાવવું ખૂબ જ ફરજિયાત બનાવી દીધું છે. આ પ્રક્રિયા ઓફલાઈન એટલે કે ટેલિકોમ સ્ટોર્સ પર જઈને ઓનલાઈન ટેલિકોમ કંપનીઓની વેબસાઈટ કે એપની મદદથી કરી શકાશે.
સરકાર દ્વારા આ નિર્ણય સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે લેવામાં આવ્યો છે. કેવાયસી ફરજિયાત હોવાને કારણે આતંકવાદ, મની લોન્ડરિંગ અને છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓને રોકવામાં મદદ મળશે. આ સાથે જ એ વાત પણ સુનિશ્ચિત કરી શકાશે તમામ મોબાઈલ નંબર રજિસ્ટર્ડ યુઝર્સ સાથે કનેક્ટેડ હોય, જેનાથી આપાતકાલીન સેવા અને સરકારી યોજનાઓ સુધી સરળતાથી પહોંચી શકાય.
આ નવા નિયમની અસર મોટા ભાગે પ્રીપેડ મોબાઈલ યુઝર્સ પર પડશે, જેને કારણે યુઝર્સ હવે વિના કેવાયસી નવો સિમકાર્ડ નહીં ખરીદી શકે. જોકે, આ પ્રક્રિયા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે. પોસ્ટપેડ યુઝર્સ પર એની કોઈ અસર નહીં જોવા મળે, પણ સમય સમય પર કેવાયસી ડિટેઈલ્સ અપડેટ કરાવવું પડી શકે છે.
કેવાયસીની પ્રક્રિયા પૂરી કરવા માટે યુઝર્સને આઈડી તરીકે આધાર કાર્ડ, પેનકાર્ડ, વોટર આઈડી કે પાસપોર્ટ જેવા દસ્તાવેજો જમા કરાવવા પડી શકે છે. આ સિવાય એડ્રસ પ્રૂફ માટે યુટિલિટિ બિલ, રેશન કાર્ડ કે પાસપોર્ટ આપી શકાશે. આ સાથે એક પાસપોર્ટ સાઈઝ ફોટો પણ આપવી પડશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…ટૅક વ્યૂહ : મોબાઈલ સોફ્ટવેરની અપડેટ… કંઈ કરીએ જ નહીં તો શું ફેર પડે?!