મુંબઈની સાઠે કૉલેજની વિદ્યાર્થિનીઓ આપઘાત કે હત્યાઃ પોલીસ તપાસમાં લાગી

મુંબઈઃ શહેરની નામાંકિત સાઠે કૉલેજની સંધ્યા પાઠક નામની વિદ્યાર્થિનીનું કૉલેજ ઈમારતના ત્રીજા માળેથી પડી જવાથી મોત થયું છે ત્યારે આ ઘટના મામલે કૉલેજ મેનેજમેન્ટ અને માતા-પિતા અલગ અલગ નિવેદન આપી રહ્યા છે.
કૉલેજના મત અનુસાર સંધ્યાએ ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે જ્યારે પરિવારનો દાવો છે કે સંધ્યાને કોઈએ ધક્કો માર્યો છે.
આપણ વાંચો: નવી મુંબઈમાં વૃદ્ધ ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ
સંધ્યા પાઠક નામની 21 વર્ષીય યુવતી વિલેપાર્લેની સાઠે કોલેજમાં સ્નાતક કોર્સના ત્રીજા વર્ષમાં હતી. સંધ્યાએ જો આત્મહત્યા કરી હોય તો આવું પગલું શા માટે ભર્યું તે અંગે હજુ કોઈ માહિતી નથી, પણ જો તેનાં માતા-પિતાનો દાવો ખરો સાબિત થાય તો આ એક વધારે ગંભીર કેસ બની શકે છે. પોલીસ સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી છે. પોલીસની તપાસમાં જ તથ્ય બહાર આવશે. જોકે એક 21 વર્ષીય યુવતીનું આ રીતે થયેલું મોત દુઃખદ જ છે.