આમચી મુંબઈ
પવઈ તળાવ છલકાયું…

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ:મુંબઈ વિસ્તારના મહત્વપૂર્ણ કૃત્રિમ તળાવોમાંના એક પવઈ તળાવમાં આજે સવારે છ વાગ્યાની આસપાસ ભરાઇ છલકાયુ છે. ૫૪૫ કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવનું પાણી પીવાલાયક નથી અને તેનો ઉપયોગ મુખ્યત્વે આરે ડેરી કોલોનીમાં પીવા સિવાય ઔદ્યોગિક હેતુઓ અને અન્ય હેતુઓ માટે થાય છે.

છેલ્લા બે દિવસમાં તળાવના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે તળાવ વહેવા લાગ્યું છે. હાલમાં તળાવનું પાણીનું સ્તર 195.10 ફૂટ છે.