અમદાવાદ રથયાત્રામાં પોલીસ આ અત્યાધુનિક સિસ્ટમનો કરશે ઉપયોગ, જાણો શું છે ખાસિયત?
રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવશે

અમદાવાદઃ શહેરમાં નીકળનારી 148મી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. થોડા દિવસ પહેલા ભગવાનની શહેર અને ગામડામાં છે અલગ અલગ રેન્જજળયાત્રા વિધિ થઈ હતી. રથયાત્રા દરમિયાન સુરક્ષા વધારવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અદ્યતન ગનશોટ સાઉન્ડ ડિટેક્શન યુનિટ્સ મેળવવામાં આવ્યા છે. આ હાઈ-ટેક યુનિટ્સ પ્રથમ વખત મેળવવામાં આવ્યા છે, તેમને રથયાત્રાના માર્ગ પરના સંવેદનશીલ વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવશે.
રથયાત્રામાં VVIP હિલચાલ પર ધ્યાન રહેશે
પોલીસના ટોચના અધિકારીઓએ સૂત્રોને જણાવ્યું કે રથયાત્રા દરમિયાન આવા બે યુનિટ કાર્યરત રહેશે, જે મોટા પાયે યોજાતા જાહેર કાર્યક્રમો માટે ભીડ સુરક્ષાના આધુનિકીકરણમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ગનશોટ ડિટેક્શન સિસ્ટમ્સ રથયાત્રામાં અવાજો વચ્ચે પણ ગનફાયરને તરત જ ઓળખી શકે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું, અમારું ધ્યાન રથયાત્રા, વીવીઆઈપી હિલચાલ અને મોટા પાયે થતા રોડ શો જેવા વધારે જોખમવાળા કાર્યક્રમો દરમિયાન આંતરિક સુરક્ષા પર છે.
પોલીસ પ્રશાસન કઈ રીતે કરશે કામ?
પોલીસ સૂત્રો અનુસાર, વિવિધ હથિયારનો અવાજ અલગ અલગ હોય છે. આ સિસ્ટમ પિસ્તોલ, રાઇફલ કે અન્ય કોઈ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને સરળતાથી ઓળખી શકે છે. કોઈ પણ ગનફાયરની ઘટનામાં લોકોનો જીવ બચાવવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
સીસીટીવી સર્વેલન્સ, ડ્રોન મોનિટરિંગ કરાશે
સૂત્રોના કહેવા મુજબ, અમે રથયાત્રા શાંતિપૂર્ણ યોજાઈ તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. આ ટેક્નોલોજી અમને કોઈ પણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં નિર્ણાયક રીતે કાર્ય કરવા સક્ષમ બનાવે છે. આ યુનિટ્સ સીસીટીવી સર્વેલન્સ, ડ્રોન મોનિટરિંગ અને વધેલા કર્મચારીઓની તૈનાતી સાથે મળીને કાર્ય કરશે.
લૉ એન્ફોર્સમેન્ટ ટીમોને એલર્ટ
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે ગનશોટ ડિટેક્શન સિસ્ટમ્સ એકોસ્ટિક સેન્સર્સ અને અદ્યતન અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને થોડી જ સેકન્ડમાં અન્ય મોટા અવાજોથી ગનફાયરને અલગ પાડે છે. આ ટેક્નોલોજી માત્ર ગનફાયરના ચોક્કસ સ્થાનને જ નહીં પરંતુ ઘટનાનો ચોક્કસ સમય પણ રેકોર્ડ કરે છે. તે શંકાસ્પદ હથિયારના પ્રકાર સહિતની મહત્ત્વપૂર્ણ વિગતો સાથે લૉ એન્ફોર્સમેન્ટ ટીમોને એલર્ટ પણ કરે છે.
શહેર અને ગામડામાં છે અલગ અલગ રેન્જ
યુનિટ્સમાં રહેલા સેન્સર અત્યંત સંવેદનશીલ હોય છે અને પ્રભાવશાળી અંતરથી ગનફાયર શોધી કાઢવા સક્ષમ છે. જોકે તે વિવિધ પરિબળો પર આધાર રાખે છે. શહેરોમાં જ્યાં વધારે અવાજ હોય ત્યાં આ સિસ્ટમની રેન્જ 200થી 500 મીટર સુધીની હોય છે. ખુલ્લા અથવા ગ્રામીણ વિસ્તારોમાં આ સિસ્ટમ એકથી 2 કિલોમીટર સુધી ગનફાયર શોધી શકે છે. કેટલાક અદ્યતન મોડેલ્સ ૩ કિલોમીટર સુધીની ક્ષમતાનો પણ દાવો કરે છે.
આ પણ વાંચો…એએમસી દ્વારા રથયાત્રા રૂટનું રૂપિયા 19.59 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે