ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તીવ્ર બન્યું , ઈરાને યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

તહેરાન : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તીવ્ર બન્યું છે. જેમાં બંને દેશોએ તેમના હુમલા વધાર્યા છે. આ દરમિયાન ઈરાને યુદ્ધવિરામનો ઇનકાર કર્યો છે. જેના પછી ઈઝરાયલે તેના હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. તેલ અવીવમાં સાયરનનો અવાજ સતત સંભળાઇ રહ્યો છે.
સોમવારે સવારે જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટ
મીડિયા અહેવાલ સોમવારે સવારે જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઇઝરાયલી સેનાએ ઈરાન તરફથી નવા મિસાઈલ હુમલાની ચેતવણી આપી હતી અને લોકોને આગામી સૂચના સુધી સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.
બંને દેશો વચ્ચે હુમલાઓ બંધ થવાની શક્યતા નથી
સોમવારે ચોથા દિવસે પણ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મિસાઈલનો હુમલો ચાલુ રહ્યો, હાલમાં તેમાં કોઈ ઘટાડો થવાના સંકેત નથી. ઇઝરાયલે ઈરાન પર અચાનક હુમલો થયા બાદ તણાવ સતત વધી રહ્યો છે. જેમાં વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્ર પર હુમલો પણ સામેલ છે.
યુદ્ધવિરામ પર વાતચીત થવી જોઈએ
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે તેમણે રવિવારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઈરાન સાથે રાજદ્વારી વાટાઘાટો કરવા કહ્યું. લેયેને કહ્યું કે નેતન્યાહૂ સાથે ટેલિફોન વાતચીતમાં પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ. કેનેડાના કનાનાસ્કિસમાં ગ્રુપ ઓફ સેવને કહ્યું, અલબત્ત મને લાગે છે કે વાતચીત દ્વારા ઉકેલ શોધી શકાય છે.
આપણ વાંચો: ‘ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે….’ નેતન્યાહૂએ કર્યો ચોંકાવનારો દાવો…
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ગુપ્તચર વડા મોહમ્મદ કાઝેમનું મોત
સોમવારે રાત્રે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. આ બંને દેશો હવે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. વૈશ્વિક નેતાઓએ મધ્ય પૂર્વમાં ફેલાતા બે દેશો વચ્ચેના સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરી છે અને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. રવિવારે, ઇઝરાયલી હુમલાઓમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ગુપ્તચર વડા મોહમ્મદ કાઝેમનું મોત થયું હોવાના અહેવાલ છે.