આરબીઆઇએ ગ્રાહકોને આપી મોટી રાહત, દસ વર્ષથી નિષ્ક્રિય રહેલા બેંક એકાઉન્ટ મામલે લીધો આ નિર્ણય…

મુંબઈ : ભારતીય રિઝર્વ બેંકના કરોડો બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે 10 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય રહેલા બચત અને ચાલુ ખાતાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ગ્રાહક આ એકાઉન્ટ માટે કેવાયસી અપડેટ દ્વારા એકાઉન્ટને ફરી સક્રિય કરી શકશે. આરબીઆઇનો આ નિર્ણય ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જેથી લોકો તેમના પૈસા સરળતાથી પાછા મેળવી શકે. આ નવા નિયમો બેંકિંગ સિસ્ટમમાં પારદર્શિતા વધારશે અને ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત કરશે.
ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
નવા નિયમો અનુસાર, હવે બેંકોએ આવા ખાતાઓને ફરીથી સક્રિય કરવા માટે કેવાયસી અપડેટ સુવિધા પૂરી પાડવી પડશે. આ પ્રક્રિયા પહેલા કરતા ઘણી સરળ અને અનુકૂળ બનાવવામાં આવી છે. આરબીઆઇ એ ખાતરી કરવાનો પ્રયાસ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ તેના નિષ્ક્રિય ખાતાને કારણે તેના પૈસાથી વંચિત ન રહે. આ વ્યવસ્થા ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેઓ કોઈ કારણોસર લાંબા સમય સુધી તેમના ખાતાનો ઉપયોગ કરી શક્યા ન હતા.
ગ્રાહકોને વારંવાર બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર નહિ પડે
આરબીઆઇની નવી માર્ગદર્શિકામાં કેવાયસી અપડેટ માટે વિડીયો કેવાયસી પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. આ તકનીકી સુધારણા દર્શાવે છે કે કેન્દ્રીય બેંક ડિજિટલ યુગની જરૂરિયાતોને અનુરૂપ તેની નીતિઓને અપડેટ કરી રહી છે. વિડિઓ કેવાયસીની સુવિધા સાથે ગ્રાહકોને વારંવાર બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. આ પ્રક્રિયા માત્ર સમય બચાવશે જ નહીં પરંતુ ગ્રાહકો માટે વધુ અનુકૂળ પણ બનશે.
ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે ખૂબ જ ઉપયોગી
આ ઉપરાંત બેંકોના નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટે નોંધાયેલા બિઝનેશ કોરસપોન્ડન્ટની સેવાઓનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ વ્યવસ્થા ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બિઝનેશ કોરસપોન્ડન્ટ દ્વારા, ગ્રાહકો તેમના ઘરની નજીક કેવાયસી અપડેટ કરી શકશે. આ સુવિધા બેંકિંગ સેવાઓને વધુ સુલભ બનાવશે અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે.
આપણ વાંચો : RBI અને SBIના નામે થઈ રહ્યો છે મોટો સ્કેમ, તમને પણ તો નથી આવ્યો ને આવો મેસેજ?