
નવી દિલ્હી : દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સામાન્ય રીતે માહિતી પહોંચાડવા માટે કરવામાં આવતો હોય છે. જોકે, તેનો દૂરઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. જેના લીધે લોકો ભ્રમિત થતાં હોય છે. જેમાં હાલમાં આવી જે પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે વરિષ્ઠ નાગરિકો માટે મફત મુસાફરી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો 15 જૂન, 2025 થી ગમે ત્યાં મફત મુસાફરી કરી શકશે.
ઓનલાઈન બુક કરાવી શકાય
તેમની માટે ટ્રેન, સ્થાનિક ફ્લાઇટ્સ, સરકારી બસો અને મેટ્રો મફત રહેશે. ટિકિટ સરકારી પોર્ટલ, સ્ટેશનો/ટર્મિનલ પર કાઉન્ટર અથવા વરિષ્ઠ પ્રવાસી એપ્લિકેશન્સ દ્વારા ઓનલાઈન બુક કરાવી શકાય છે. મુસાફરી દરમિયાન ઉંમરની પુષ્ટિ કરવા માટે આધાર, મતદાર આઇડી અને પાસપોર્ટ બતાવવા પડશે.

આ વાયરલ પોસ્ટનો દાવો ખોટો પૂરવાર થયો
જોકે, ફેક્ટ ચેકમાં આ વાયરલ પોસ્ટનો દાવો ખોટો પૂરવાર થયો છે. તેમજ ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી. ખોટા દાવાઓ સાથે નકલી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
ફેસબુક યુઝરે 28 મે 2025ના રોજ વાયરલ પોસ્ટ શેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, એક ફેસબુક યુઝરે 28 મે 2025ના રોજ વાયરલ પોસ્ટ શેર કરી હતી. યુઝરે લખ્યું હતું કે, “ભારત સરકારે 15 જૂન, 2025 થી વરિષ્ઠ નાગરિકો માટે મફત મુસાફરી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનામાં ટ્રેનો, સ્થાનિક ફ્લાઇટ્સ, સરકારી બસો અને મેટ્રોમાં મફત મુસાફરીનો સમાવેશ થાય છે. 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો આની માટે પાત્ર રહેશે. બુકિંગ ટિકિટ સરકારી પોર્ટલ, સ્ટેશનો પર અથવા સિનિયર ટ્રાવેલ એપ દ્વારા ઓનલાઈન બુક કરી શકાય છે. ઓળખ માટે મુસાફરી દરમિયાન ઉંમરની પુષ્ટિ કરતી કોઈપણ સરકારી ફોટો આઇડી પ્રૂફ જરૂરી છે.