138 દિવસ સુધી અસ્ત રહેશે શનિદેવ, આ રાશિના જાતકોને જલસા જ જલસા…

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા ગણાવવામાં આવ્યા છે અને 138 દિવસ સુધી શનિદેવ વક્રી અવસ્થામાં હોય છે. આ દરમિયાન શનિદેવ ઊંધી ચાલ ચાલે છે. શનિદેવની વક્રી અવસ્થાની અસર મેષથી મીન રાશિના જાતકો પર જોવા મળે છે. આવા આ શનિદેવ એક મહિના બાદ એટલે કે 13મી જુલાઈના સવારે 7.24 કલાકના વક્રી થવા જઈ રહ્યા છે. ત્યાર બાદ 138 દિવસ સુધી તેઓ આ જ અવસ્થામાં રહેશે અને 28મી શનિવારે માર્ગી થશે. જોકે, શનિદેવની વક્રી અવસ્થાને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો સુખદ પરિણામ લઈને આવી રહ્યો છે. અટકી પડેલાં કામ પૂરા થશે. કોઈ કામમાં અવરોધ આવી રહ્યા હશે તો તે દૂર થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરજો. આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. શત્રુઓને પરાજિત કરશો. શુભ સમાચાર સાંભળવા મળશે. પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે.
મકર રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા નવા સ્રોત મળશે. ધાર્મિક કાર્યમાં રસ વધી રહ્યો છે. પ્રવાસ પર જવાની યોજના બનાવશો. ભાઈ-બહેન સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે, મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આ સમયે તમે કોઈ મોટો નિર્ણય લેશો. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો.
કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફાયદો થશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. રોકાણથી સારો એવો લાભ થશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. બિઝનેસમાં પણ પ્રગત થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કામ-કાજમાં ખૂબ જ ઉત્સાહ રહેશે. નવી નવી તકોનો ઉપયોગ કરવા માટે આ સમય અનુકૂળ છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (14-06-25): મેષ સહિત આ ચાર રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જોઈ લો તમારી રાશિ તો નથી ને?