નેશનલ

16 જૂનથી ચાર મહિના સુધી વન્ય પ્રાણીઓનું વેકેશન; તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધ

અમદાવાદ: ગુજરાતના વન વિભાગ દ્વારા રાજ્યના તમામ ૨૭ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોને આગામી ૧૬ જૂન, ૨૦૨૫ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય સસ્તન પ્રાણીઓના સંવર્ધનના સમયગાળા દરમિયાન તેમને ખલેલ ન પહોંચે તે હેતુથી લેવામાં આવ્યો છે.

ખાનગી કે સરકારી વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ બંધ કરાશે

અગ્ર મુખ્ય વન સંરક્ષક કચેરી, ગાંધીનગર દ્વારા તારીખ ૧૦ જૂન, ૨૦૨૫ ના પત્ર અનુસંધાને ગુજરાત સરકારે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સમયગાળો અનેક સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ પ્રજાતિઓ માટે પ્રજનનકાળ (સંવનન) હોય છે. આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓની અવરજવરથી વન્યજીવોને થતી ખલેલ ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. 15 જુનથી અભયારણોની ખાનગી કે સરકારી વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ બંધ કરાશે, તેમજ 16 ઓક્ટોબરથી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

નળસરોવર અભયારણ્ય ૧૨૦ દિવસ માટે બંધ

આ જાહેરાત અંતર્ગત સાણંદ ખાતે આવેલું પ્રખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્ય પણ ૧૨૦ દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ બાદ આ તમામ સ્થળો પર પ્રવાસીઓને ફરીથી પ્રવેશની છૂટ આપવામાં આવશે. આ નિર્ણય વન્યજીવોના સંરક્ષણ અને તેમના કુદરતી વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે પ્રજનન કરી શકે તે માટે મહત્વપૂર્ણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button