ગ્વાલિયરના વિદ્યાર્થીનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું, મિત્રને કહ્યું- હાથ ધોઈને આવું છું અને પછી…

અમદાવાદઃ શહેરમાં બી જે મેડિકલ કોલેજ કોલેજની મેસ પર ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં સવાર 242 મુસાફરો પૈકી એક સિવાય તમામના મોત થયા હતા.
દુર્ઘટનામાં કેટલાક મેડિકલ વિદ્યાર્થીના પણ મોત થયા છે. જોકે તેનો સત્તાવાર આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી. આ દુર્ઘટનામાં મધ્ય પ્રદેશના ગ્વાલિયરના જિગસૌલી ગામનો એમબીબીએસ વિદ્યાર્થી આર્યન રાજપૂત પણ મોતને ભેટ્યો હતો. દુર્ઘટના બની ત્યારે તે હોસ્ટેલની મેસમાં લંચ કરતો હતો. તેના મોતથી પરિવાર અન સમગ્ર ગામ શોકમગ્ન થઈ ગયું હતું.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ બે ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
મિત્ર મેસની બહાર નીકળી ગયો અને અંદર આર્યન
19 વર્ષીય આર્યન રાજપૂતે નીટની પરીક્ષા પાસ કરીને એમબીબીએસમાં એડમિશન લીધું હતું. તેણે સખત મહેનતુ હતો. દુર્ઘટના સમયે વિમાન હોસ્ટેલની ઈમારત સાથે ટકરાયું ત્યારે આર્યન મેસમાં જમતો હતો. તેણે તેના મિત્રને મોબાઈલ આપીને કહ્યું- તું જા હું હાથ ધોઈને આવું છું. મિત્ર મેસની બહાર નીકળી ગયો, પરંતુ આર્યન અંદર જ રહી ગયો હતો.
આપણ વાંચો: લંડન જતા સોલાપુરના વૃદ્ધ દંપતીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કરુણ મોત
પરિવારજનો અમદાવાદ આવવા રવાના થયા હતા ને
દુર્ઘટના બાદ આર્યનના મિત્રેએ તેના મોબાઈલથી પરિવારજનોને સૂચના આપી કે આર્યન ઘાયલ છે અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. સમાચાર મળતાં જ તેના પરિવારજનો અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતા પરંતુ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આર્યનનું મોત થઈ ગયું છે.
ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું
આર્યનના સંબંધીઓ અને ગામ લોકોમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ હતી. લોકો આર્યનના ઘરે એકત્ર થઈ ગયા હતા અને તેની બોડીની રાહ જોઈ રહ્યા છે. જિલસૌલી ગામના રહેવાસી આર્યન ભણવામાં તેજસ્વી હતો. પ્રથમ ટ્રાયલમાં જ નીટ પાસ કરીને તેણે પરિવાર અને ગામનું નામ રોશન કર્યું હતું. જોકે દુર્ઘટનામાં તેના નિધનથી ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું.