અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ બે ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

અમદાવાદઃ શહેરમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. બે ડોક્ટરો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટને સુઓમોટો કરવા અને કેન્દ્ર સરકારને પીડિતોન યોગ્ય વળતર આપવાની અપીલ કરવામાં આવી હતી.
સમિતિમાં કોનો સમાવેશ કરવાની છે માંગ
આ અરજીમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને અમદાવાદની બી જે મડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો સહિત મૃતકના પરિવારજનોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.
અરજીમાં કેન્દ્ર સરકાર એક ઉચ્ચ સ્તરિય સમિતિ બનાવે, જેમાં સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટના સેવા નિવૃત્ત ન્યાયાધીશ, વિમાન એક્સપર્ટ, અર્થશાસ્ત્રી અને ઈન્શ્યોરન્સ એક્સપર્ટને સામેલ કરવામાં તેમ પણ જણાવાયું છે.
સમિતિ ત્રિવેણી કોડકની વિરુદ્ધ એર ઇન્ડિયા લિમિટેડના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર પીડિત પરિવારોને અંતિમ વળતર નક્કી કરશે.
આપણ વાંચો: લંડન જતા સોલાપુરના વૃદ્ધ દંપતીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કરુણ મોત
મૃતકોના સંબંધીઓને રોજગારની તકો પૂરી પાડવાની પણ અરજીમાં માંગ
અસરગ્રસ્ત પરિવારોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે તે માટે અરજીમાં એર ઇન્ડિયા લિમિટેડને વળતરના દાવાઓનો ઝડપથી નિકાલ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. મૃતકોના સંબંધીઓને પુનર્વસન સહાય અને રોજગારની તકો પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માંગ પણ કરવામાં આવી હતી.
અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટને દુર્ઘટનાનું કારણ જાણવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવા અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે જરૂરી પગલા ભરવા વિનંતી કરી હતી.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સ અને DVR મળ્યા, રહસ્ય ખૂલવાની આશા
શું હતી ઘટના
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે હતી. પ્લેનમાં 228 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. જેમાંથી એક વ્યકિતનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્લેન બી જે મેડિકલ કોલેજના મેસમાં તૂટી પડ્યું હતું. આ સમયે અનેક રેસિડેન્ટ ડોક્ટર લંચ કરતા હતા.