રાશિફળ

51 દિવસ સુધી સાવધ રહેવું પડશે, ગ્રહોની સ્થિતિ મોટી હોનારતના એંધાણ આપી રહી છે…

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 7478 ડ્રીમલાઈનર પ્લેન ટેક ઓફ કર્યાના મિનિટોમાં જ અમદાવાદના જ મેઘાણી નગર ખાતે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો 2025નું વર્ષ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ વર્ષે ગ્રહોની એવી સ્થિતિ બની છે જેને કારણે જાનહાનિના સંકેતો પહેલાંથી મળી રહ્યા છે. દાયકાઓ પહેલાં અને મહાભારત કાળમાં પણ આવા યોગ સર્જાયા હતા અને હજી આગામી 51 દિવસ સુધી ખૂબ જ સાવધાની રાખવાના રહેશે, એવું પણ જાણીતા જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર સાતમી જૂનથી ગ્રહોની સ્થિતિ ખૂબ જ હાનિકારક બની છે અને આ વિનાશકારી સ્થિતિ આગામી 51 દિવસ એટલે કે 28મી જુલાઈ સુધી રહેશે. આ વર્ષે શનિ બાદ રાહુ, કેતુ અને ગુરુએ પણ રાશિ પરિવર્તન કર્યું છે. હાલમાં રાહુ કુંભ રાશિ, કેતુ સિંહ રાશિમાં અને શનિ મીન રાશિમાં બિરાજમાન છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુની અતિચારી ગતિમાં પણ ખાસ સારી નથી. જેને કારણે ભીષણ અકસ્માત, મુસીબતો અને જાનહાનિ થઈ શકે છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (13-06-25): તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને આજે થશે લાભ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…

એવું કહેવાઈ રહ્યું છે મહાભારત કાળમાં પણ આવા જ સંજોગો અને ગ્રહોની સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે જે સમયે અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની દુર્ઘટના બની એ સમયે વિનાશકારી અને અશુભ ગણાતો જ્વાળામુખી યોગ સર્જાયો હતો. બુધવારકે રાતે 8.11 કલાકથી આ યોગ શરૂ થયો અને બીજા દિવસે બપોરે 2.28 કલાકે આ યોગ પૂરો થયો હતો, પરંતુ એ પહેલાં તો પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા હતા.

કેતુ અને મંગળ સિંહ રાશિમાં યુતિ ઉપરાંત શનિ અને સૂર્યની દ્રષ્ટિને કારણે દેશ-દુનિયા માટે દિવસો તો કપરા રહેવાના જ છે. આ ઉપકાંત બીજા કેટલાક ગ્રહોની ચાલ પણ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે. મહ નક્ષત્ર અને તિથિના આધારે શુભાશુભ યોગનું નિર્માણ થાય છે અને આ તમામ યોગમાં જ્વાળામુખી યોગ સૌથી વધુ વિનાશકારી માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button