
ગાંધીનગરઃ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 260થી વધુ લોકોના મોત થયા હતા. ઘટનાના પગલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા હતા. તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પ્લેન અકસ્માતમાં બચી ગયેલા યુવાન સાથે મુલાકાત કરી હતી. જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પત્ની અને પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. પીએમ મોદીને જોઈ અંજલી રૂપાણી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
શું લખ્યું વડા પ્રધાન મોદીએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
Met the family of Shri Vijaybhai Rupani Ji.
— Narendra Modi (@narendramodi) June 13, 2025
It is unimaginable that Vijaybhai is not in our midst. I’ve known him for decades. We worked together, shoulder to shoulder, including during some of the most challenging times. Vijaybhai was humble and hardworking, firmly committed… pic.twitter.com/KbmDsKtARG
તેમની મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના… ૐ શાંતિ…!!