અમદાવાદ

પ્લેન ક્રેશનો જીવતો સાક્ષી: વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક આપવીતી, જુઓ વીડિયો

અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માત્ર એક પ્રવાસી જીવતો રહ્યોસ, જ્યારે બાકી દરેક જીવતા ભડથું થઈ ગયાં હતાં. આ વિમાનમાં સવાર 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિશ્વાસ કુમાર એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ છે. દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. વડા પ્રધાન મોદીએ વિશ્વાસ કુમારને એ ભયાનક દ્રશ્ય વિશે પૂછ્યું હતું ત્યારે એક કરતા અનેક વાતો કરતા પડી ભાગ્યો. હૃદયદ્રાવક આપવીતી કહેતા ભારે હૈયે વિશ્વાસ કુમારે કહ્યું કે હું થોડી પળોમાં તો મને લાગ્યું હતું કે હું પણ જીવીશ નહીં.

આ બધું જ મારી નજર સામે થયું હતુંઃ વિશ્વાસ કુમાર

વડા પ્રધાન મોદીઓએ વિશ્વાસને પૂછ્યું કે, આ બધુ કેવી રીતે થયું? જેનો જવાબ આપતા વિશ્વાસ કુમારે કહ્યું કે, ‘આ બધું જ મારી નજર સામે થયું હતું. મને ખૂદને વિશ્વાસ નથી આવતો કે, હું કેવી રીતે જીવતો બહાર આવી ગયો. થોડીક ક્ષણ તો એવું લાગ્યું કે, હું હવે મરવાનો છું. પરંતુ જ્યારે આંખો ખોલી ત્યારે હું જીવતો હતો. પછી મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પછી હું બહાર નીકળી ગયો. હું મારી નજર સામે વિમાનમાં એર હોસ્ટેસ, કાકા અને કાકાઓને બળી જતા જોયા છે’.

ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકનો જીવ બચ્યો

વિશ્વાસ કુમારે દુરદર્શન સાથે વાત કરતા આ સમગ્ર ઘટનાની વાત જમાવી હતી. વિશ્વાસે કહ્યું તેનો સીટ નંબર 11એ હતી. વિશ્વાસની સીટ વિમાનના તે ભાગમાં હતી જે ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર સાથે અથડાયો હતો. વિમાન ક્રેશ થયું તેમાં તે બચી ગયો હતો. ભારતીય મૂળ પરંતુ બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા વિશ્વાસે પોતાનો સીટ બેલ્ટ ખોલ્યો અને વિમાનમાંથી બહાર આવ્યા. જોકે, આ દુર્ઘટનામાં તેનો ડાબો હાથ આગમાં બળી ગયો હતો. તેણે કર્યું કે, આ દરમિયાન તેણે માત્ર લોકોની લાશો જ જોઈ હતી. જેમાં મુસાફરો અને ક્રુ મેમ્બર હતાં. આ બધુ જોઈને વિશ્વાસ ડરી ગયો હતો.

આપણ વાંચો:  આણંદનો આનંદ છીનવાયોઃ પ્લેન ક્રેશમાં 33ના મોત, જિલ્લાવાર મૃતકોની યાદી

થોડી જગ્યા હતી એટલે હું નીકળી ગયોઃ વિશ્વાસ કુમાર

વિગતે વાત કરવામાં આવે તો વિશ્વાસે કહ્યું કે હું જે તરફ બેઠો હતો તે ભાગ હોસ્ટેલની બાજુ નહોતી અને તે હોસ્ટેલનો ગ્રાઉન્ડ ફ્લોર હતો. મને એના વિશે વધુ ખબર નથી, પણ જે બાજુ હું બેઠો હતો તે બેઠક ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. ત્યાં થોડી જગ્યા હતી. મારો દરવાજો તૂટતાની સાથે જ મેં જોયું કે થોડી જગ્યા હતી અને પછી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને હું બહાર નીકળી ગયો’. નોંધનીય છે કે, અત્યારે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેણે કહ્યું કે, અહીં મારી સારી સારવાર કરવામાં આવી રહીં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button