નેશનલ

ઈરાન-ઈઝરાયલ તણાવની ભારત પર અસર, એર ઇન્ડિયાએ ફ્લાઈટ્સ પરત બોલાવી

મુંબઈ: ગત મોડી રાત્રે ઈઝરાયેલી એરફોર્સે ઇરાન પર એર સ્ટ્રાઈક કરી (Israel Air strike on Iran) હતી. ઈઝરાયેલે ઈરાનની કેટલીક ન્યુક્લિયર સાઈટ્સ અને લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતાં. ઈરાન આ હુમલાનો બદલો લેવા તૈયારીઓ કરી રહ્યું છે. ઇરાને સુરક્ષા કારણોસર પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, જેને કારણે ભારતના એર ટ્રાવેલને અરસ પહોંચી છે. ભારતથી અમેરિકા અને યુરોપ સહિત ઘણા દેશો તરફ જતી કેટલીક ભારતીય ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં (Flights Diverted) આવી છે, તો કેટલીક ફ્લાઈટ્સને એરપોર્ટ પર પરત બોલાવવામાં આવી છે.

એર ઇન્ડિયાએ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને 15થી વધુ ફ્લાઇટ્સના ડાયવર્ટ કરી છે. એર ઇન્ડિયાએ X પર આપેલી માહિતી મુજબ, જે ફ્લાઇટ્સને પરત બોલાવવામાં આવી છે, તેમાંથી મોટાભાગની ભારતના કોઈ શહેરથી ઉપડી હતી. જે ફ્લાઇટ્સ ભારત આવી રહી હતી તેને ડાયવર્ટ કરવામાં આવી છે.

એર સ્ટ્રાઈક પછી ઇઝરાયેલના તેલ અવીવનું બેન ગુરિયન એરપોર્ટ આગામી સૂચના સુધી બંધ કરવામાં આવ્યું છે.

આ ફ્લાઈટ્સ ડાયવર્ટ:

લંડનથી મુંબઈ આવતી ફ્લાઇટ હવે વિયેના થઈને આવશે. ન્યૂ યોર્કથી દિલ્હી આવતી ફ્લાઇટ હવે શારજાહ થઈને આવશે. તેવી જ રીતે, ન્યૂ યોર્કથી મુંબઈ આવતી ફ્લાઇટ હવે જેદ્દાહ થઈને આવશે. લંડનથી દિલ્હી આવતી ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી છે. વાનકુવરથી દિલ્હી જતી ફ્લાઇટ જેદ્દાહ થઈને આવશે. શિકાગોથી દિલ્હી આવતી ફ્લાઇટ પણ જેદ્દાહથી આવશે.

આ ફ્લાઈટ્સ પરત બોલાવવામાં આવી:

મુંબઈથી લંડન જતી ફ્લાઇટને પરત બોલાવવામાં આવી છે. દિલ્હીથી વોશિંગ્ટન જતી ફ્લાઇટ પણ દિલ્હી પાછી આવી રહી છે. એર ઇન્ડિયાએ આપેલી માહિતી મુજબ દિલ્હીથી નેવાર્ક જતી ફ્લાઇટ દિલ્હી પરત ફરી રહી છે.

વિમાન ભાડા મોંઘા થશે:

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવને કારણે, ભારતીય વિમાનો પાકિસ્તાન એરસ્પેસમાં પ્રવેશી શકતા નથી. હવે ઈરાનનું એર સ્પેસ પણ હાલ પૂરતું બંધ છે. આવી સ્થિતિમાં, વિમાનોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડે છે. જેનાથી મુસાફરીનો સમય પણ વધશે અને અને ખર્ચ પણ વધશે.

આ પણ વાંચો…મુંબઈથી લંડન જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button