મહારાષ્ટ્ર ‘એફસીઆરએ’ પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય છે; વિદેશી દાનનો સીધો લાભ દર્દીઓને મળશે
સંવેદનશીલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અવિરત પ્રયાસો રંગ લાવ્યા

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળ સેલને તાજેતરમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) હેઠળ કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી છે, જેનાથી મહારાષ્ટ્ર વિદેશી ભંડોળ સ્વીકારનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એપ્રિલ 2025માં આ સંદર્ભે કેન્દ્રને વિનંતી કરી હતી. તેમના સતત ફોલોઅપને કારણે આ પરવાનગી મળી છે.
દર્દીઓને વિદેશી ભંડોળનો સીધો લાભ
આ મંજૂરી સાથે રાજ્ય સરકાર તરફથી મળતી સહાય ઉપરાંત વિદેશમાંથી ભંડોળનો ઉપયોગ હવે જરૂરિયાતમંદ દર્દીઓ માટે પણ થઈ શકે છે. આનાથી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, ન્યુરોસર્જરી, કેન્સરની સારવાર જેવી ખર્ચાળ સારવાર માટે સમયસર અને પર્યાપ્ત ભંડોળ મળી રહેશે. એફસીઆરએ પ્રમાણપત્ર સાથે મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળ સેલ હવે ફક્ત રાજ્ય પૂરતું મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક ભાગીદારી માટે એક ખુલ્લું પ્લેટફોર્મ બની ગયું છે.
એફસીઆરએ પ્રમાણપત્રના ફાયદા
વિદેશી સંસ્થાઓ અને વિદેશમાં રહેતા નાગરિકો તરફથી સીધી સહાય,
ડબ્લ્યુએચઓ જેવી સંસ્થાઓ તરફથી સીધું દાન,
હવે વિદેશમાં રહેતા મહારાષ્ટ્રના નાગરિકો દ્વારા સરકારી ખાતામાં સત્તાવાર રીતે ભંડોળ જમા કરાવી શકાશે,
વધુ ભંડોળ આવતાં વધુ દર્દીઓને સમયસર મદદ મળશે
એફસીઆરએના ભંડોળનો ઉપયોગ કરીને ખર્ચાળ સારવાર શક્ય બનશે, અકસ્માતો, નવજાત શિશુઓ, કટોકટીની સર્જરી જેવા ગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક ભંડોળ પૂરું પાડી શકાશે.
સીએસઆર ભંડોળનો સમાવેશ
ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સીએસઆર હેઠળ આરોગ્ય ક્ષેત્ર માટે ભંડોળ ઉપલબ્ધ કરાવતા હોય છે. એફસીઆરએ પ્રમાણપત્રને કારણે મહારાષ્ટ્ર સરકાર તેમની સાથે સીધા કરાર કરી શકે છે.
વિશ્ર્વસનીયતા અને પારદર્શિતાની સફળતા
મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન રાહત ભંડોળ સેલ એફસીઆરએ પ્રમાણપત્ર મેળવનાર ભારતનો પ્રથમ અને એકમાત્ર સેલ બન્યો છે. સંવેદનશીલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ પ્રમાણપત્ર મેળવવા માટે સમયસર ફોલો-અપ અને યોગ્ય દસ્તાવેજીકરણને કારણે આ શક્ય બન્યું છે. સેલના વડા રામેશ્ર્વર નાઈકે એવી માહિતી આપી હત કે, તે માત્ર નાણાકીય સહાય જ નહીં, પણ સમાજને સંદેશ પણ મોકલે છે કે આરોગ્યસંભાળ પ્રણાલીમાં વિશ્ર્વસનીયતા, પારદર્શિતા અને સામાજિક ભાગીદારી વધે છે.
આ પણ વાંચો…સ્થાપના દિને અજિત પવારની એનસીપીએ પુન:મિલનની ચર્ચાને ફગાવી દીધી, સુળેએ મુદ્દો ટાળ્યો…